દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુસુફભાઈ હાજીભાઈ ચૌહાણ નામના 36 વર્ષના મુસ્લિમ યુવાને કામ ધંધા માટે એક વાહન લીધું હતું. આ વાહનનો તેમજ અન્ય બાબતના બેંક લોનના હપ્તા તેમને ચાલુ હોય, અને તેમનો ધંધો સારી રીતે ચાલતો ન હોવાથી તેમના પર ભરવાના હપ્તા વધી ગયા હતા. આ રીતે સર્જાયેલી આર્થિક સંકળામણથી વ્યથિત હાલતમાં તેમણે ગઈકાલે મંગળવારે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની સલમાબેન યુસુફભાઈ ચૌહાણએ દ્વારકા પોલીસને કરી છે.
ખંભાળિયામાં યુવાન ઉપર હુમલો કરી, અપમાનિત કરવા સબબ બે સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા અને ડ્રાયવિંગ કામ સાથે સંકળાયેલા કરસનભાઈ ગાંગાભાઈ વારસાકિયા નામના 36 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન તેમજ તેમની સાથે સાહેદ નરેશ પ્રવીણભાઈ વારસાકીયા નામના યુવાનો ફરિયાદી કરસનભાઈના બહેનના દિયર સાથે તેમના ઘરના પ્રશ્નો બાબતે અહીંના હર્ષદપુર વિસ્તારમાં વાતચીત કરી રહ્યા હતા. ત્યારે દેવુ ગઢવી નામના શખ્સએ ફરિયાદી કરસનભાઈ વારસાકિયાને શાંતિથી વાત કરવા કહેતા તેમને સમજાવવા જતા આરોપી દેવુ ગઢવીએ તેમને બીભત્સ ગાળો માંડી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.
આટલું જ નહીં, અન્ય એક આરોપી વિશાલ સોમાભાઈ પારીયા નામના શખ્સ દ્વારા પણ ઉશ્કેરાઇને આ બંને આરોપીઓએ એક સંપ કરી, ફરિયાદી કરસનભાઈ તથા સાહેદ નરેશને લાકડાના ધોકા વડે બેફામ માર મારી, બીભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે એટ્રોસિટી અને ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech