ઓખામાં માછીમાર યુવાનને હાર્ટ એટેક

  • September 04, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નદીના પટમાં રમતા દાતા ગામના તરુણનું પાણીના ખાડામાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ


ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વતની અશ્વિનભાઈ માનસિંગભાઈ સોસા નામના 35 વર્ષના માછીમાર યુવાન ગઈકાલે મંગળવારે ચા નાસ્તો કરીને પોતાની બોટમાં બેઠા હતા ત્યારે તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ કોડીનાર તાલુકાના રહીશ માછીમાર ફિરોઝભાઈ મનસૂરીએ ઓખા મરીન પોલીસને કરી છે.


જયારે ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતો રાયશી માલદેભાઈ વાઘેલા નામનો 13 વર્ષનો તરુણ બાળક ગઈકાલે મંગળવારે સાંજના સમયે દાતા ગામ પાસે આવેલી નદી નજીક પટમાં રમવા ગયો હતો. ત્યારે અહીં પાણી ભરેલા ખાડામાં તે પડી જતા ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રામશીભાઈ માલદેભાઈ વાઘેલા (ઉ.વ. 25) એ અહીંની પોલીસને કરી છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application