આર્યક્ધયા ગુરૂકુળ ગુજરાતી માધ્યમ શાળામાં સ્લોગન લેખન સ્પર્ધા યોજાઈ

  • August 21, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની આર્યક્ધયા ગુ‚કુળ ગુજરાતી માધ્યમ શાળા ૧૫ ઓગષ્ટ નિમિત્તે સ્લોગન લેખન સ્પર્ધા યોજાઈ હતી.
૧૫ ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ જે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે કેટલાય યુવાનોએ પોતાના બલિદાન આપ્યા છે, ભારતમાતાને ગુલામીની બેડીઓમાંથી મુક્ત કરવા પોતાનું સમગ્ર જીવન માં ભારતને ચરણે ધરી દેનાર આવા યુવાનોના નારાઓ આજેય જાણે કે,વાતાવરણમાં ગુંજી રહ્યા છે,ત્યારે આવા વીર શહિદો,સમર્પિત યુવાનોના જીવન, કવન અને સમર્પણથી દીકરીઓ વાકેફ થાય તથા એમણે આપેલા નારાઓમાં રહેલી દેશદાઝનો સ્પર્શ એમની ચેતનાને પણ થાય તેવા હેતુથી આચાર્યા ડો.રંજના મજીઠીયાના માર્ગદર્શન હેઠળ આર્યક્ધયા ગુ‚કુળ ગુજરાતી માધ્યમમાં એક સ્લોગન લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ 
જેમાં ૧૦૩ દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં દીકરીઓએ તિરંગામાં, ભારતના નકશામાં, વિવિધ રંગીન કાગળો પર સ્લોગન લખી ડેકોરેશન કર્યું હતુ. જય જવાન જય કિશાન, ઈન્કલાબ જિંદાબાદ, કરો યા મરો, સત્યમેવ જયતે,પુર્ણ સ્વરાજ જેવા વિવિધ સ્લોગનો પોતપોતાની સુઝ દ્વારા દીકરીઓએ ખુબ સુંદર રીતે લેખન કર્યું હતુ. શ્રેણી અનુસાર દીકરીઓને ટોપ ફાઈવ નંબર આપવામાં આવ્યા હતા બાલસ હર્ષિતા, ખીસ્તરીયા અદિતી, ભોગાયતા રિધ્ધિ, આંબલીયા હેત્વી તથા દુધરેજીયા નિશ્રા પ્રથમ ક્રમે આવ્યા હતા,તમામ વિજેતાઓને પ્રમાણપત્ર તથા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રિતીબેન સોલંકી, ભાર્વીબેન ભટ્ટી, હિરલબેન ઓડેદરા,ખુશ્બુબેન રાઠોડ,મિનલબેન ડાભી,હેમાલીબેન પુરોહિત, નયનાબેન જોષી,દિપાલીબેન વારા,અંકિતાબેન વાઘેલા,પલ્લવીબેન મકવાણા અને હિનાબેન ભરડાએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application