જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા ૫૦ વર્ષના એક ખેડૂત આધેડે પોતાની બીમારીથી કંટાળી જઈ કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા મહેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખીમજીભાઇ ગીણોયા નામના ૫૦ વર્ષના પટેલ જ્ઞાતિના ખેડૂત આધેડ કે જેઓ સાતેક વર્ષથી પગના દુખાવાની બીમારીથી પીડાતા હતા. જેની દવા ચાલુ હતી, તેમ છતાં સારું નહીં થતાં તે બીમારીથી કંટાળી જઈ પોતાની વાડીના કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની મૃતકના સંબંધી સંજયભાઈ ભીમજીભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMથેન્ક્યુ ઇન્ડિયા: ભારતે અબ્દુલ અઝહરનો સફાયો કર્યો, અમેરિકાએ કહ્યું- ન્યાય થયો
May 09, 2025 04:24 PMરુ. ૭૬ લાખની હીરાની છેતરપીડી મામલે ડાયમંડ એસો.પ્રમુખ સહિત બે સામે ફરીયાદ
May 09, 2025 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech