પોરબંદરના હીંગળાજ મંદિર ખાતે માનવ ઉત્કર્ષ સેવા મંડળ દ્વારા ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરમાં નવરાત્રીના પર્વે છેલ્લા બે દાયકાઓથી શિક્ષણ, સમાજ, આધ્યાત્મિક અને સેવાક્ષેત્રે બેનમુન કામ કરતી પોરબંદરના બીરલાહોલ સ્થિત શ્રી હિંગળાજ મંદિર ચોક ખાતેની માનવ ઉત્કર્ષ સેવા મંડળ દ્વારા તાજેતરમાં સાડા ત્રણસો બાળાઓ માટે મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવેલ હતું.
પોરબંદર હિંગળાજ મંદિર માનવ ઉષ્કર્ષ સેવા મંડળના સેવાકર્મી પ્રમુખ જયંતીભાઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ લક્ષ્મીનગર ગરબી મંડળના આયોજક અશ્ર્વિનભાઇ મસાણી, હાઉસીંગ બોર્ડ ગરબી મંડળના આયોજક પ્રદીપભાઇ બામણીયા અને સીધેશ્ર્વર ગરબી મંડળના આયોજક દેવાભાઇ ગાગલીયા ત્રણેય ગરબી મંડળ સહિત હાઉસીંગ બોર્ડ, લક્ષ્મીનગર, દરજી જ્ઞાતિ સોસાયટી અને નવયુગ શિક્ષક હાઉસીંગ કોલોની વિસ્તારની ૩૫૦ જેટલી બાળાઓ માટે બિરલા છાયા રોડ સ્થિત શ્રી વાંઝા દરજી જ્ઞાતિની વંડી ખાતે ભોજન પે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામા આવેલ હતુ. દાતાઓ વર્ષી પડતા બાળાઓને ભોજન પ્રસાદી બાદ દરેક બાળઓને સૌન્દર્ય પ્રસાધનોની કીટ આપવામાં આવી હતી. બાળાઓના મુખ પરની પ્રસન્નતા જોઇ સૌ કોઇ કહેતા હતા કે બાળાઓ એ દુર્ગા માતાજીનું સાક્ષાત સ્વપ છે. આથી કહેવાય છે કે ‘બચ્ચો મેં હૈ ભગવાન’ આ સેવાયજ્ઞમાં વાંજા દરજી જ્ઞાતિના પ્રમુખ મોહનભાઇ વાઢેર સહિત જગદીશભાઇ મોતીવરસ, જેઠુભાઇ માલમ, લઘુભાઇ વાંદરીયા, માલદેભાઇ ચૌહાણ, પ્રદીપભાઇ બામણીયા, ભરતભાઇ ચૌહાણ, દિનેશભાઇ ડોડીયા, અશ્ર્વિનભાઇ ઠકરાર, વિપિનભાઇ કકકડ, કાનાણીભાઇ અને ત્રણેય ગરબી મંડળના આયોજકો સહયોગી બન્યા હતા. આ બાળ સેવાયજ્ઞમાં માનવ ઉત્કર્ષ સેવા મંડળના હોદેદારોએ સારી જહેમત ઉઠાવી હત. ચારેય સોસાયટીના ધર્મપ્રેમી નાગરીકોએ બાળાઓ માટેના ભોજન પે મહાપ્રસાદના સેવાયજ્ઞને બિરદાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-દ્વારકા જિલ્લામાં માવઠાની માર: પાકને નુકશાનની ભીતિ
May 06, 2025 01:38 PMઆતંકવાદ સામેની લડાઇમાં તમામ સનાતનીઓ એક થાય: પૂ.શંકરાચાર્યજી
May 06, 2025 01:36 PMક્રેડીટ બુલ્સ કૌભાંડમાં જામનગર મહાનગરપાલીકાના એક પદાધિકારીના બે કરોડ ફસાયા.....?
May 06, 2025 01:23 PMલાલપુરમાં ૫૨.૪૬ લાખના શરાબના જથ્થા પર બુલડોઝર
May 06, 2025 01:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech