જામનગર નજીક ગળાફાંસો ખાઇ પરિણીતાનો આપઘાત

  • January 19, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના ઢંઢા ગામની સીમમાં પરપ્રાંતીય પરિણીતાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે, ફોનમાં કોની સાથે વાત કરે છે એવું પતિએ કહેતા આ વાતનું મનમાં લાગી આવવાથી પગલુ ભરી લીધુ હતું.
મુળ એમ.પી.ના અલીરાજપુર જીલ્લાના ઘોઘસા ગામના વતની અને હાલ જામનગર તાબેના ઢંઢા ગામની સીમમાં કિશોરસિંહની વાડીએ રહેતા અને ખેતમજુરી કરતા શબરીબેન ભીકલા ભીંડે (ઉ.વ.૨૯) નામની પરિણીતાને ગઇકાલે તેના પતિએ તું કોઇ સાથે ફોનમાં વાત કરે છે તેવા સવાલો કરતા આ વાતનું તેણીને લાગી આવ્યુ હતું.
જેના કારણે પોતાની મેળે જાંબુના ઝાડ પર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે ભીકલાભાઇ ગુજલાભાઇ ભીંડે દ્વારા પંચ-બી પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application