નવી કામરોળ ગામે દીપડાએ કર્યુ મરણ

  • September 06, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાજા પંથકમાં અવાર-નવાર દીપડા અને સિંહ સહિત રાની પશુઓ વાડી તેમજ રહેણાંકી વિસ્તારમાં આવી ચડવાની ઘટનાઓ બનતી રહે છે. તેમજ રાની પશુઓ દ્વારા મારણ કરાતા માલધારીઓ, ખેડૂતો સહિત ગ્રામ્ય લોકો સતત ભયના ઓથાર હેઠળ રહેતા હોય છે. ત્યારે તાલુકાના નવીકામરોળ ગામે આજે પરોઢીયે એક વાડીમાં ઘૂસેલા દીપડાએ વાછરડીનું મારણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. 
તળાજા તાલુકાના નવી કામરોળ ગામે રહેતા અને ગામની સીમમાં વાડી ધરાવતા રામદેવસિંહ બટુકસિંહ સરવૈયાની વાડીમાં આજે પરોઢીયે ઘૂસેલા દીપડાએ વાછરડીનું મારણ કર્યુ હતું. દીપડાએ  મારણ કરતા નવી કામરોળ ગામે ભારે ભય ફેલાયો હતો.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application