ત્રિકમાચાર્ય આશ્રમને ટાંક પરિવાર દ્વારા અપાયુ પાંચ લાખ રૂપિયાનું અનુદાન

  • September 24, 2024 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મૂળ આદિત્યાણાના તથા હાલ લંડન વસતા ટાંક પરિવાર દ્વારા પાંચ લાખ ‚પિયાનું ત્રિકમાચાર્ય આશ્રમને અનુદાન આપવામાં આવ્યુ છે.
યુ.કે. લંડન વસતા સેંકડો માઇલ દૂર હોવા છતાં સતત સંતશ્રી ત્રિકમાચાર્ય બાપુ આશ્રમ ત્રિકમાચાર્ય બ્રહ્મસમાજ આદિત્યાણા પ્રત્યે અપાર શ્રધ્ધા અને લાગણી ધરાવતા દક્ષાબેન તથા ગોવિંદભાઇ હીરજીભાઇ ટાંક પરિવાર દ્વારા ત્રિકમાચાર્ય આશ્રમને ‚ા. પાંચ લાખનું દાન અર્પણ કરવામાં આવેલ છે. આ પરિવાર દ્વારા ત્રિકમાચાર્ય બાપુના નિર્વાણ દિને યોજાતા સેવાયજ્ઞોમાં પણ અનેક વખત દાન આપવામાં આવેલ છે. તેઓ આટલા દૂર હોવા છતાં અવારનવાર બાપુને માથુ ટેકવવા આવતા હોય છે. ટાંક પરિવાર મૂળ બાલવાનો હોય બાલવા મુકામે તેઓના નિવાસસ્થાને  પણ સંતશ્રી ત્રિકમાચાર્યબાપુનું આસન બિરાજમાન છે. ત્રિકમાચાર્ય બાપુ જ્યારે આભપરામાં  સાધના કરતા ત્યારે બાપુ અવારનવાર બાલવા ખાતે આ પરિવારને ત્યાં બિરાજતા હતા. આદિત્યાણા બ્રહ્મસમાજ દ્વારા ટાંક પરિવારને ત્રિકમાચાર્ય બાપુ સુખ, શાંતિ, સમૃધ્ધિ, સારુ આરોગ્ય બક્ષે તેવા આશીર્વાદ પાઠવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application