જામનગરમાં શ્રી દ્વારકાધીશ મંદિરે ભવ્ય છપ્પન ભોગ મહોત્સવ યોજાયો
પૂ.પા.ગો.૧૦૮ શ્રી હરીરાયજીની પાવન નિશ્રામાં મહાઆરતી સાથે દર્શનનો થયો શુભારંભ
'છોટીકાશી' જામનગરમાં ખંભાળીયા ગેઇટ નજીક આવેલ તથા શ્રી મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત શ્રી દ્વારકાધીશનાં પ્રાચીન મંદિરમાં પોષ વદ પાંચમને રવિવારે બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી મોટી હવેલીનાં ગાદિપતિ પૂ.પા.ગો.શ્રી ૧૦૮ હરીરાયજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તથા પૂ.પા.ગો.શ્રી ૧૦૮ વલ્લભરાયજી મહોદયનાં માર્ગદર્શન હેઠળ મુખ્યાજી રમેશભાઇ દ્વારા પ્રથમ વખત આયોજીત દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવમાં પૂ. હરીરાયજી મહારાજ તથા પૂ. વલ્લભરાયજી મહોદય સહપરીવાર પધાર્યા હતા અને તેઓની પાવન નિશ્રામાં મહાઆરતી સાથે મહોત્સવનાં દર્શનનો શુભારંભ થયો હતો.
ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી,ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા તથા સ્થાનિક કોર્પોરેટરો સહિતનાં સત્તાધીશો, વિશ્વ હિન્દુ પરિષદનાં ભરતભાઇ મોદી, અખિલ ગુજરાત લોહાણા સમાજ પ્રમુખ જીતુભાઇ લાલ સહિતનાં અગ્રણીઓ તથા વિવિધ મહાનુભાવોએ છપ્પન ભોગ મહોત્સવનાં દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
મહોત્સવનાં મુખ્ય મનોરથી પૂજારા પરિવાર તથા વિવિધ સહમનોરથીઓ અને આમંત્રિત અતિથીઓ અને મહાનુભાવો ઉપરાંત હજારોની સંખ્યામાં વૈષ્ણવોએ છપ્પન ભોગ મહોત્સવનાં અલૌકિક દર્શનનો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન રોયલ્સે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું, 14 વર્ષના વૈભવે 35 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
April 28, 2025 11:18 PMRTE હેઠળ ધોરણ-1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર, 86 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ
April 28, 2025 10:10 PMકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech