જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા વણિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

  • December 22, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં હર્ષદ મીલ ની ચાલી પાછળ અપૂર્વ રેસીડેન્સીમાં રહેતા એક યુવાને ગઈકાલે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાછળ અપૂર્વ રેસીડેન્સીમાં રહેતા દીપેનભાઈ નિખિલભાઇ શાહ નામના ૩૭ વર્ષના વણિક યુવાને ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતક ની પત્ની પ્રીતિબેન બીપીનભાઈ શાહએ પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસે જી.જી. હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું કરી લીધું છે, તે જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
***
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતા ભરતપુરની યુવતીએ જિંદગી ટૂંકાવી
ભાણવડ તાલુકાના ભરતપુર ગામે રહેતા પરબતભાઈ અરજણભાઈ આંબલીયાની ૨૬ વર્ષની પુત્રી નહલાબેન છેલ્લા ત્રણેક વર્ષથી ઘર બેઠા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી હતી. પરંતુ આ પરીક્ષાઓમાં તેણીને સફળતા ન મળતા અને તેણીને નોકરી ન મળતા આખરે તેણીએ કંટાળીને પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેણીને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા પરબતભાઈ આંબલીયા (રહે. ભરતપુર, ઉ.વ. ૫૧) એ ભાણવડ પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application