પ્રાણપ્રતિષ્ઠામાં દેશના દિગ્ગજ ઉધોગપતિઓ, બોલિવૂડની હસ્તીઓ અને સંતોનો મેળાવડો

  • January 22, 2024 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમાં દિગ્ગજ ઉધોગપતિઓ, બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્તીઓ અને સંતોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, મુકેશ અંબાણી અને પત્ની નીતા, અનિલ અંબાણી અને સાઉથના સ્ટાર્સ ચિરંજીવી–રામચરણે હાજરી આપી હતી. બાબા રામદેવ બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોવા મળ્યા હતા. તે જ સમયે, કેટરિના કૈફ અને પતિ વિકી કૌશલ, આલિયા ભટ્ટ–રણબીર કપૂર, માધુરી દીક્ષિત અને તેમના પતિ ડો. શ્રીરામ નેનેએ પણ સમારોહમાં હાજરી આપી હતી. ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની પ્રતિમા બનાવનાર શિલ્પકાર અણ યોગીરાજે પણ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું– હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યકિત છું.

કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા અનુપમ ખેરે હનુમાનગઢીની મુલાકાત લીધી હતી. કહ્યું, ભગવાન રામ પાસે જતા પહેલા હનુમાનજીના દર્શન કરવા ખૂબ જ જરી છે. આવું વાતાવરણ હિંદુ ધર્મમાં પહેલા કયારેય જોવા મળ્યું નથી. આ ઐતિહાસિક છે. વિવેક ઓબેરોયે કહ્યું કે, હું પહેલીવાર અયોધ્યા આવ્યો છું અને અહીં હું દરેક શ્વાસમાં શ્રી રામની ભકિત અનુભવું છું. રામલલ્લા ૫૦૦ વર્ષ પછી અયોધ્યા પરત ફર્યા ત્યારે લોકોમાં ભારે ઉત્સાહી છે.

મિતાલી રાજે વાતચીત દરમિયાન કહ્યું, જયારે હું અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લઉં છું ત્યારે હું જે અનુભવું છું તે જ અહીં અનુભવ કરી રહી છું. અમે ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. આ એક મોટી ક્ષણ છે, એક ઉત્સવ છે. હું અહીં આવીને અને આ ઉત્સવનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application