\
જેતપુરના પાંચપીપળા ગામ પાસેના કેરાળી ગામના વળાંક પર ડબલ સવારીમાં જતા મોટર સાયકલ રોડ પરથી નીચે ઉતરી જતા ચાલકનું મોત નીપયું હતું. આ જોય તેની સાથે રહેલ તેના ખેત મજૂરને અકસ્માતનો બનાવ પોતાની પર આવશે તેવો ડર લાગતા તેણે વાડીએ જઈ ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
જેતપુર તાલુકાના પાંચપીપળાથી કેરાળી ગામ જવાના વળાંક પર ગતરોજ એક બાઈક ચાલકનો રોડની નીચેની બાજુથી અકસ્માત થયો હોય તે હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ કેરાળી પાસે રહેતા પ્રભાતભાઈ છગનભાઈ ઝાલાનો હોવાની ઓળખ થતા સ્થળ પર તેમના પરીજનો પહોંચ્યા હતાં. ત્યાં સ્થળ પર મૃતકના તેમજ બીજા કોઈ શખ્સના પણ ચપ્પલ પડેલ હોય મૃતકના પરિવારજનોએ મૃતક સાથે તેના તેના ખેત મજૂર રાયલાભાઈ ઉર્ફ રવજીભાઈ તેરસિંહ કલેશ (આદિવાસી) હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે વધુ તપાસ આદરી હતી, એ દરમિયાન જે રાયલાભાઈ મિત્ર વાડીએ ખેત મજૂરી અર્થે આવેલ હતો તે જ વાડી
ખાતે ઝાડ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં તેનો પણ મૃતદેહ મળી આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી. પરંતુ આ બાબતની ઉધોગનગર પોલીસ તેમજ વીરપુર પોલીસ બંનેની હદ વિસ્તારમાં આવતો હોય તેઓ દ્રારા ડીવાયસેપી રોહિત ડોડીયા તેમજ જિલ્લ ા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને જાણ કરતા આ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
યાં મૃતક પ્રભાતભાઈના પરીવારજનોએ પોલીસને જણાવેલ કે, પ્રભાતભાઈને બાઇક ચલાવતા આવડતું જ ન હતું. જેથી સ્થળ પર તપાસઅર્થે આવેલ ઉચ્ચ અધિકારીઓ તપાસ કરતા પ્રથમીક રીતે એવું જાણવા મળેલ કે, બંને આધેડો બાઇક પર જતાં હતા ત્યારે પ્રભાતભાઈથી અકસ્માત સર્જાતા અને તેમાં તેનું મોત થતાં રાયલાભાઈને આ અકસ્માતનો કેસ પોતાની પર આવશે તેવો ડર લાગતા તેણે વાડીએ જઈ આપઘાત કરી લીધો હતો.
છતાં પણ મોતનું સચોટ કારણ જાણવા બંને મૃતદેહ ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડયા હતાં. અને બનાવની વધુ તપાસ વીરપુર પોલીસ ચલાવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech