આંધ્રપ્રદેશના માછલીપટ્ટનમમાં એક વિશાળ વ્હેલ શાર્ક, જેનું વજન 1500 કિલોગ્રામ હોવાનું કહેવાય છે. તે સ્થાનિક માછીમારોની જાળમાં ફસાઈ ગઈ. આ વિશાળ માછલીને ક્રેનની મદદથી ગિલકાલાદિંડી બંદરે લાવવામાં આવી હતી.
માહિતી મુજબ, માછલીપટ્ટનમના કૃષ્ણા જિલ્લામાં સ્થાનિક માછીમારોની જાળમાં 1,500 કિલો વજનની વિશાળ વ્હેલ શાર્ક ફસાઈ ગઈ હતી. જાળમાં ફસાયેલી આ વિશાળ માછલીને ક્રેનની મદદથી ગિલકાલાદિંડી બંદરના કિનારે લાવવામાં આવી હતી, જેને ચેન્નાઈના વેપારીઓએ તરત જ ખરીદી લીધી હતી.
આ વ્હેલ શાર્ક (Rhincodon typus) એક લુપ્તપ્રાય પ્રજાતિ છે. જે તેની ધીમી ગતિ અને મોટા કદ માટે જાણીતી છે. આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ દર વર્ષે 30 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. વ્હેલ શાર્ક ફિલ્ટર-ફીડિંગ માછલીની ધીમી ગતિએ ચાલતી પ્રજાતિ છે. વ્હેલ શાર્ક મહાસાગરોના ખુલ્લા પાણીમાં રહે છે. ગુજરાતના દરિયા કિનારાનું તાપમાન તેમના માટે અનુકૂળ છે. જેના કારણે વ્હેલ શાર્ક ગુજરાતના દરિયાકાંઠે ઈંડા મૂકવા આવે છે, તેથી વ્હેલ શાર્કને ગુજરાતની પુત્રી પણ કહેવામાં આવે છે.
વર્ષ 2000 અને તે પહેલાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ઘણી વ્હેલ શાર્કનો શિકાર કરવામાં આવ્યો હતો. 2004માં પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ આ ગેરકાયદેસર શિકારને રોકવા માટે વ્હેલના સંરક્ષણ માટે હાકલ કરી હતી. વ્હેલ શાર્કને વિશ્વની માછલીઓની સૌથી મોટી પ્રજાતિ માનવામાં આવે છે. આ જળચર પ્રાણીનું વજન 10 થી 12 ટન અને લંબાઈ 40 થી 50 ફૂટ છે. જો તેનો શિકાર ન કરવામાં આવે તો તેનું આયુષ્ય 100 વર્ષ સુધીનું છે. 11 જુલાઈ, 2001ના રોજ ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયે વ્હેલ શાર્કને કાનૂની રક્ષણ આપ્યું અને શિકાર પર પ્રતિબંધ મૂક્યો. તેને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની સૂચિ 1માં સામેલ કરવામાં આવ્યું હતું. તેને પકડનારા શિકારીઓને ત્રણથી સાત વર્ષની જેલ અને 10,000 રૂપિયાના દંડની જોગવાઈ પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech