ખંભાળિયાના રેલવે સ્ટેશન માટે મુક બધિર બાળક મળી આવ્યો

  • September 02, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તંત્ર દ્વારા ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી અપાયો



ખંભાળિયાના રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી ઓખા-ભાવનગર ટ્રેનમાં રવિવારે એક મુક બધિર બાળક ખંભાળિયાના રેલ્વે વિભાગના એ.એસ.આઈ. મોહનલાલ શર્માને મળી આવ્યો હતો. આ બાળકના કોઈ વાલી-વારસ સાથે ન હોવાથી તેને અહીંના ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન ચંદ્રશેખર બુદ્ધભટ્ટી તથા સભ્ય તુષાર ત્રિવેદી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેમની સાથે કાઉન્સિલર વિશાંત્રીબેન પુનાણીની ઉપસ્થિતિમાં પ્રાથમિક પૂછપરછ બાદ આ બાળકને ખંભાળિયામાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર બોય ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા બાળકના માતા-પિતા, પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application