ચનાજોર ગરમમાં શંખજીરૂની ભેળસેળ કરનાર પેઢી અને તેનું કારખાનું સીલ કરાયું

  • January 25, 2024 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તાજેતરમાં આજીડેમ ચોકડી પાસે આવેલ જિતેન્દ્રભાઈ ગુાની (કલ્પેશભાઈ બડોખરિયા)ની ખાધચીજોની ઉત્પાદક પેઢી જે.કે. સેલ્સ (કલ્પેશ ટ્રેડર્સ)ને ત્યાં પેઢીના માલિકની હાજરીમાં સીલ મારવામાં આવ્યું હતું. આ ઉપરાંત અજયભાઈ છેદીલાલ ગુાની ખાધચીજોની ઉત્પાદક પેઢી આશા ફત્પડસમાં પણ આગામી હત્પકમ ન થાય ત્યાં સુધી સીલ મારવામાં આવ્યું છે. ડે.કમિશનર અનિલ ધામેલિયાના આદેશથી આ કાર્યવાહી કરાયાનું ફડ શાખાના અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે ગયા સાહમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોકત પેઢી અને તેના કારખાનામાં દરોડા કાર્યવાહી હાથ ધરાઈ હતી. તે દરમિયાન એવું ઝડપાયું હતું કે ચનાજોર ગરમ છૂટ્ટા રહે તે માટે તેઓ તેમાં શંખજીરૂની ભેળસેળ કરતા હતા જે જનઆરોગ્ય માટે વ્યાપક હાનિકારક હોય છે. સામાન્ય રીતે શંખજીરૂનો ઉપયોગ ટેલકમ પાઉડર બનાવવામાં થતો હોય છે અને અહીં તેનો છંટકાવ તેઓ ચનાજોર ગરમની ઉપર કરતા હતા જેથી ચના ચોંટેલા ન રહે અને છૂટ્ટા રહે!! હવે યાં સુધી નવો હત્પકમ ન થાય ત્યાં સુધી આ પેઢી અને તેનું કારખાનુ બન્ને સીલ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application