અયોધ્યા પર એક કોમેન્ટથી સોનું નિગમ જબરો ટ્રોલ થયો

  • June 05, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અયોધ્યામાં બીજેપી હારી, તો સોનુ નિગમએ એક કોમેન્ટ કરી હતી જેના પગલે ગાયકે લોકોના ગુસ્સાનું ભોગ બનવું પડ્યું હતું. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ચોંકાવનારા છે. સૌથી શોકિંગ રિઝલ્ટ આવ્યું છે ઉત્તર પ્રદેશના અયોધ્યાનું. જ્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાંથી સમાજવાદી પાર્ટીએ જીત હાસિલ કરી છે. બીજેપીની આ હાર પર સોનૂ નિગમે કંઈક એવું કહી દીધુ છે કે લોકો તેમને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.હકીકતે સોનુ નિગમ નામના ટ્વીટર હેન્ડલથી અયોધ્યામાં બીજેપીની થયેલી હાર પર એક ટ્વીટ કરવામાં આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું જે સરકારે આખી અયોધ્યાને ચમકાવી નવું એરપોર્ટ આપ્યું, રેલવે સ્ટેશન આપ્યું, 500 વર્ષ બાદ રામ મંદિર બનાવડાવ્યું. આખા એક ટેંપલ ઈકોનોમી બનાવીને આપી તે પાર્ટીને અયોધ્યામાં લોકસભા સીટ પર સંઘર્ષ કરવો પડી રહ્યો છે. શરમજનક છે અયોધ્યાવાસિઓ. સિંગર પર યુઝર્સે ઉતાર્યો ગુસ્સો આ ટ્વીટ જોત જોતામાં વાયરલ થઈ રહી છે. યુઝર્સે ટ્વીટ પર કમેન્ટ કરી તેમને ખૂબ ખરી ખોટી સંભળાવી છે. સોશિયલ મીડિયા પર સોનુ નિગમ પર ખૂબ ગુસ્સો ઉતારવામાં આવી રહ્યો છે. એક યુઝર્સ લખ્યું- તને ગીત ગાવાનો મોકો પણ મળ્યો? જેમના મકાન તોડવામાં આવ્યો તેમને ક્યારેય મળ્યા છો કે નકલી ગીત ગાવા બેઠા છો તમને શરમ આવવી જોઈએ. જ્યારે કંઈ ખબર ન હોય તો ગીત ન ગાવું જોઈએ. ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું- ચોટ સે કભી વોટ નહીં મિલતા હૈ. એટલું ધ્યાન રાખવું જનતા બધુ જ સમજે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application