નૂહમાં હિંસા અંગે મોટો ખુલાસો, ધાર્મિક યાત્રાના એક સપ્તાહ પહેલાની બેઠકમાં રમખાણનું ષડયંત્ર આવ્યું હતુ રચવામાં

  • August 05, 2023 11:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિંસાના એક દિવસ પહેલા હિંસામાં સામેલ યુવાનોના એક જૂથે મોનુ માનેસર અને બિટ્ટુ બજરંગીના ઉશ્કેરણીજનક વીડિયોના પ્રસારીત પહેલા જ 31 જુલાઈએ નિર્ધારિત ધાર્મિક યાત્રા પર હુમલો કરવાની તૈયારી કરી લીધી હતી. આ માટે સૌપ્રથમ 21મી જુલાઇના રોજ સાંજે નુહના નલ્હાદ ટેકરીમાં સભા યોજાઇ હતી, ત્યારબાદ 23મી જુલાઇના રોજ બપોરની બેઠકમાં હિંસક ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.


પથ્થર કોણ ભેગા કરશે અને બોટલમાં પેટ્રોલ ક્યાંથી અને કોણ લાવશે તે પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ જૂથના લોકો જુનૈદ અને નાસિરની હત્યાનો બદલો લેવા માટે ભડકાઉ વીડિયો અપલોડ કરનારા ઘણા સાયબર ઠગ અને કેટલાક યુટ્યુબર્સના સંપર્કમાં હતા.


પોલીસ રિમાન્ડ પર લેવામાં આવેલા આઠ ગામના 19 આરોપીઓની પૂછપરછ બાદ ષડયંત્ર અંગે ખુલાસા થઈ રહ્યા છે. હિંસક ઘટનાની શરૂઆત ખેડલા ચોકડી નજીકથી કરવામાં આવી હતી. તેની એફઆઈઆર નૂહ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application