મોમાઈનગરમાં ૭૯ વર્ષના બુઝુર્ગનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

  • April 16, 2024 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક મહિના પહેલાં પત્નીનું બીમારીના કારણે મૃત્યુ થયા પછી સતત ચિંતામાં રહેલા વયોવૃદ્ધે પત્નીના વિયોગમાં પોતે પણ આપઘાત કર્યો


જામનગરમાં ગાંધીનગર નજીક મોમાઈ નગર શેરી નંબર-૧ માં રહેતા રણછોડભાઈ દેવજીભાઈ વઢવાણા નામના ૮૦ વર્ષના બુઝુર્ગે આજે સવારે પોતાના ઘેર રવેશની છતમાં લગાવેલા હિંડોળાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.


જેથી ૧૦૮ ની ટુકડીને સ્થળ પર બોલાવતાં તેઓએ રણછોડભાઈ નું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર કિરણભાઈ રણછોડભાઈ વઢવાણાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં મૃતક રણછોડ ભાઈના પત્ની સરલાબેન કે જેઓનું આજથી એક માસ પહેલાં બીમારીના કારણે અવસાન થયું હતું, તેથી તેઓ સતત ચિંતામાં રહેતા હતા, અને તેમણે આ પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application