જામનગરના રણજીત સાગર પાસેના ઢોર ડબ્બામાં ભારે સંકળાશ છે, લગભગ ૮પ૦થી વધુ પશુઓને ખીચોખીચ રીતે રાખવામાં આવ્યા છે જ્યારે એવરેજ દરરોજ ૭થી ૮ પશુના મોત થતાં રહે છે. ગઈકાલે પણ વધુ ૮ પશુના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે.
જામનગર શહેરમાં વ્યાપક પ્રમાણમાં ઢોર વધી ગયાં છે, મોટા ભાગના રસ્તામાં ઢોર અડિંગો જમાવીને બેઠાં હોય છે. કોર્પોરેશન દ્વારા લગભગ ૧ર-૧પ પશુઓને દરરોજ પકડવામાં આવે છે અને ઢોર ડબ્બામાં મૂકવામાં આવે છે. અવાર-નવાર અમદાવાદના પાંજરાપોળમાં જામનગરથી પશુઓને લઈ જવાય છે. જો કે, જામનગરના પશુઓનો નિભાવ ખર્ચ કોર્પોરેશનને પરવડતો નથી.
ખાસ કરીને ચોમાસાના દિવસોમાં વધુ પશુઓના મોત થાય છે. રણજીત સાગરના ડબ્બામાં ખીચોખીચ પશુ ભરેલાં છે. અંદાજ મુજબ લગભગ ૮પ૦ જેટલાં પશુઓ રાખવામાં આવેલાં છે. પશુઓના વધુ મોત થતાં લોકોમાં પણ કોર્પોરેશન પ્રત્યે ફીટકારની લાગણી જન્મી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ પિયાની છેતરપિંડી કરી
September 20, 2024 10:58 AMવારાણસી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહ પાસે જ આગથી ગભરાટ
September 20, 2024 10:56 AMપીએમ નેતન્યાહની હત્યાનું કાવતરૂ નિષ્ફળ, ઈરાને આપી હતી સોપારી
September 20, 2024 10:53 AMમત માટે મહિલાઓના પાકિટ ભારે કરવાની પક્ષોમાં હરિફાઈ
September 20, 2024 10:51 AMમિડલ ઇસ્ટ તરફ જતી તમામ ફ્લાઇટ્સ રદ: ઇઝરાયેલ-લેબનોન તણાવ વચ્ચે ઘણી એરલાઇન્સે લીધો આ નિર્ણય; જુઓ લિસ્ટ
September 20, 2024 10:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech