રણજીત સાગર પાસેના ઢોર ડબ્બામાં વધુ ૮ પશુના મોત

  • July 05, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના રણજીત સાગર પાસેના ઢોર ડબ્બામાં ભારે સંકળાશ છે, લગભગ ૮પ૦થી વધુ પશુઓને ખીચોખીચ રીતે રાખવામાં આવ્યા છે જ્યારે એવરેજ દરરોજ ૭થી ૮ પશુના મોત થતાં રહે છે. ગઈકાલે પણ વધુ ૮ પશુના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે.


જામનગર શહેરમાં વ્યાપક પ્રમાણમાં ઢોર વધી ગયાં છે, મોટા ભાગના રસ્તામાં ઢોર અડિંગો જમાવીને બેઠાં હોય છે. કોર્પોરેશન દ્વારા લગભગ ૧ર-૧પ પશુઓને દરરોજ પકડવામાં આવે છે અને ઢોર ડબ્બામાં મૂકવામાં આવે છે. અવાર-નવાર અમદાવાદના પાંજરાપોળમાં જામનગરથી પશુઓને લઈ જવાય છે. જો કે, જામનગરના પશુઓનો નિભાવ ખર્ચ કોર્પોરેશનને પરવડતો નથી.


ખાસ કરીને ચોમાસાના દિવસોમાં વધુ પશુઓના મોત થાય છે. રણજીત સાગરના ડબ્બામાં ખીચોખીચ પશુ ભરેલાં છે. અંદાજ મુજબ લગભગ ૮પ૦ જેટલાં પશુઓ રાખવામાં આવેલાં છે. પશુઓના વધુ મોત થતાં લોકોમાં પણ કોર્પોરેશન પ્રત્યે ફીટકારની લાગણી જન્મી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application