રાજકોટમાં દેશનો મોટો ૭૦૦ રૂમનો વૃધ્ધાશ્રમ બનશે

  • May 26, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એકસાથે ૨૧૦૦ પથારીવશ બીમાર વૃધ્ધોને આશરો આપી તેની સાર–સંભાળ લઈ સારવાર કરાશે



દેશના કોઈ પણ ખૂણે નિરાધાર વૃદ્ધ લાચાર, પથારિવશ વૃદ્ધોને હવે આગામી સમયમાં રાજકોટ ખાતે આશરો મળવાની સાથે યોગ્ય સારવાર પણ મળી રહેશે. રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનશે. જેમાં ૭૦૦ રૂમ બનાવવામાં આવશે. આવા વડીલોને આશરો મળવાની સાથે સાથે તેની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે. એકસાથે ૨૧૦૦ વડીલોને આશરો આપવામાં આવશે. સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલકો આજે આજકાલ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે કે આખો પ્રોજેકટ કુલ .૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. કુલ ૭ ટાવર હશે. અત્યારે પણ હાલ જે આશ્રમ છે તેમા ૫૦૦ વડીલોને આશરો આપવામાં આવી રહ્યો છે. આ આશ્રમમાં એવા જ વડીલોને આશરો અપાશે કે જે નિરાધાર છે જેને કોઈ સંતાન નથી તેમજ તેઓ લાચાર છે.





અહી આશરો લેતા વડીલોનું સન્માન જળવાઈ રહે તે માટે એક નવો જ અભિયાન રાખ્યો છે. જેના માટે કહીએ છીએ કે, અમારે માવતર જોઈએ છે,રવિવારે આ વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન છે. જેમાં મોરારિબાપુ સહિતના સંતો–મહંતો હાજર રહેશે.સદભાવના વૃદ્ધાશ્રમનું નાનકડું સેવા વિચારબીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. સંવેદનાના સિચનઠિ હવે એ વટવૃક્ષમાંથી ભયુભાદયુ વૃંદાવન બનાવવાનું આ અભિયાન છે.





સેવાયજ્ઞની વિશાળ વેદીને આકાર આપતી ઘટનાની ઘડી એટલે સદભાવના વૃદ્ધાશ્રમ ના નવનિર્માણની ભૂમિનું પવિત્રીકરણ કરવાનો મંગળ અવસર. તારીખ : ૨૮–૦૫–૨૦૨૩ અને રવિવારના દિવસે, સવારે ૦૮:૩૦ વાગ્યાના શુભ સમયે. સદભાવના વૃદ્ધાશ્રમ (રાજકોટ જામનગર હાઇ–વે,રામપર,રાજકોટ)ના અલોકિક સંકૂલનું ભૂમિપૂજન નિર્ધારવામાં આવ્યું છે.





આ કલ્યાણકારી પ્રસંગે સૌને ઉપસ્થિત રહીને સેવાયજ્ઞના સાક્ષી અને સહયોગી બનવા જાહેર આમંત્રણ પાઠવાયુ છે. સાથમાં સાંસ્કૃતિક કાર્યક્રમપણ યોજાશે. ભૂમિપૂજન અવસર પછી ઉપસ્થિત રહેનાર સૌ માટે ભોજન પ્રસાદ ની વયસ્થા પણ કરાઇ છે. રાજકોટ જામનગર હાઇ–વે, રામપર, રાજકોટ ખાતે આ સમારોહ યોજાશે. સદભાવના વૃદ્ધાશ્રમમાં અત્યારે ૫૦૦ વડીલો છે. તેમજ દર મહિને ૧૦૦ જેટલા વડીલો પ્રવેશ માટે આવી રહ્યા છે. જે રીતે પ્રવેશ મેળવનારણી સંખ્યા વધારે છે. તેને ધ્યાનમાં રાખીને આ વૃદ્ધાશ્રમ તૈયાર કરવાનો વિચાર આવ્યો છે અને તેની અમલવારી કરી છે. વડીલોને તમામ સુવિધાઓ વૃદ્ધાશ્રમમાં મળી રહેશે. પોતાની આસપાસમાં કોઈ નિરાધાર, નિ:સહાય પથારીવશ વ્યકિત (કોઈપણ ઉંમરનાં) જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી.
વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે.





માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા છેલ્લા આઠવર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત–જાત કે ધર્મના ભેદભાવ વિના જરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાનીપ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે.





વૃધ્ધાશ્રમમાં દાખલ થતાજરીયાતમદં વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ ૫૦૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી ૧૮૦ વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે.સાવ પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી–નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યકિતઓ (કોઈપણ ઉંમરનાં) માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શ કરવામાં આવ્યો છે.





આવા પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગપે નિ:શુલ્ક આશ્રય અપાઈ રહયો છે. યથાશકિત સેવા કરાઈ રહી છે.



સદભાવના વૃધ્ધાશ્રમની વિશેષતાઓ
– ૩૦ એકરમાં .૨૦૦ કરોડના ખર્ચે નિરાધાર, પથારીવશ માવતરો માટે સદભાવના વૃદ્ધાશ્રમનું નવું ભવન
– બનાવવાનું આયોજન, રવિવારે ભૂમિપૂજનમાં સંતો–મહંતો આવશે.
– સમગ્ર રાજકોટ, ભારતમાંથી ૧૦,૦૦૦ શ્રેીઓ,કાર્યકર્તાઓ પધારશે
– પૂ. મોરારિ બાપુ ભૂમિ પૂજન માં ખાસ ઉપસ્થિત રહેશે
– ૭૦૦ રૂમ, ૭ વિશાળ પરિસરમાં બનશે
– ૧૦ લાખ સ્કવેર ફુટનું બાંધકામ
– ત્રણ વર્ષમાં સંપૂર્ણ પરિસર તૈયાર થઈ જશે
– દોઢ વર્ષ પછી વડીલોને પ્રવેશ આપવાનું શરૂ થઈ જશે.
– જૈન વૃદ્ધાશ્રમ પણ સાથે જ બનાવશે યાં જૈન પરંપરાનું પાલન કરાશે.
– સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉંમરનાં) ને પ્રવેશ અપાશે
– દરેક માળે અગાશી હશે જેમાં વડીલો વોકિંગ કરી શકશે
– પથારીવશ માવતરોની કેર કરવા માટે કેર ટેકરની મોટી ટીમ ચોવીસ કલાક ત્રણ સો પાંસઠ દિવસ ફરજમાં રહેશે.
– નવ નિર્મિત ભવનમાં દરેક જગ્યાએ, દરેક માળે, વડીલો વ્હીલ ચેરમાં જઈ શકે તેવી સુવિધા હશે.
– કુલ ૭ ટાવર હશે. દરેક ટાવરમાં ૧૦૦ મ છે.
– દરેક મમાં હવા –ઉજાશ,ગ્રીનરિ જળવાઈ રહે તેનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.



જૈન સમાજના વડિલો માટે આખો ટાવર જ અલગ, યાં દેરાસર પણ બનશે
જૈન સમાજના વડીલોને જૈન ભોજન મળી રહે તેને કોઈ મુશ્કેલિના પડે ટે માટે કુલ ૭ ટાવર માંથી એક ટાવર માત્ર જૈન સમાજ માટે જ રાખવામાં આવશે. યાં જૈન સમાજના જ વડીલોને આશરો આપવામાં આવશે. આ ઉપરાંત તેમા દેરાસર પણ બનાવવામાં આવશે. જેથી કરીને વડીલોની સુવિધા માં વધારો થાય. સંચાલકોનાં જણાવ્યાનુસાર સામાન્ય રીતે જૈન સમાજના વડીલોની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આ પ્રકારની વયસ્થા ઊભી કરવાનો વિચાર આવ્યો છે. વયસ્થા તમામ લોકો એક પરિવારની જેમ રહી શકશે તેમ સંચાલકે જણાવ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનું ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપન છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં ૧૦ જિલ્લાઓમાં ૨૦ લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ ગયો છે. આગામી વર્ષેામાં સમગ્ર ગુજરાતમાં ૨૦ કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જોવે તો તેને ગુજરાત લીલુછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃદ્ધાશ્રમનું સાત્વિક સ્વપન છે. સાથોસાથ તેના જતનની પણ તકેદારી લેવામાં આવશે. જેને ખૂબ ટૂંકા સમયમાં ૨૦,૦૦,૦૦૦ વૃક્ષો વિનામૂલ્યે પીજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે, મિયાવાકી જંગલ સ્વપે કરાયું છે. વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કયુ છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્રારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે.



ગ્રીન મેન વિજય ડોબરિયા મુખ્ય સંચાલક
સદભાવના વૃધ્ધાશ્રમનું 'ધ ગ્રીન મૈન' તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહયા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બન્નેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શ કરી હતી જે આજે ભગીરથ કાર્યેાથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. વિજયભાઈ ડોબરીયાનાં માર્ગદર્શન હેઠળ સદભાવના વૃધ્ધાશ્રમની ટીમ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે.સંસ્થા હાલ ૨૫૦ ટ્રેકટર, ૨૫૦ ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી ૭૦૦લોકોનો પગારદાર સ્ટાફ આ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પાછળ અંદાજીત બાવન કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે માટે રાજય સરકારે 'ધ ગ્રીન મેન' વિજયભાઈ ડોબરીયાનું 'વન પંડીત' એવોર્ડથી સન્માન પણ કર્યુ હતું. રાજકોટ શહેરમાં જુદા–જુદા અનેક રસ્તાઓ પર વૃક્ષારોપણ કરીને રળીયામણા કરવામાં આવ્યા બાદ હવે સદભાવનાવૃધ્ધાશ્રમ તરફથી આ વર્ષે રાજકોટને જોડતા હાઈ–વે પર વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરવામાંઆવ્યું છે. રાજકોટથી મોરબી ૬૦ કિમીના રસ્તાની બંને સાઈડ ઉપર આ વર્ષે વૃક્ષારોપણનું કામ શ થયું છે. તે જ રીતે હવે રાજકોટથી ભાવનગર સુધી ૧૭૦ કિ.મી.ના હાઈવે ઉપર વૃક્ષારોપણ થઈ ગયું છે. એક સમયે આ હાઈ વે વૃક્ષોથી રળીયામણાં હતા, પરંતુ ફોરટ્રેક અને સિકસટ્રેક થતાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. તેથી ફરીને આ હાઈ–વે હરીયાળા કરવાનું અભિયાન સ્વૈચ્છિક રીતે, માત્ર પર્યાવરણની સેવાની ભાવનાથી હાથ ઘરવામાં આવ્યું હોવાનું જણાવી આ અભિયાનનાં સુત્રધાર વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં અમે ૭૧ હજાર પરીવારોનાં ઘર આંગણે વૃક્ષો ઉછેર્યા છે. જેમાં ૨ લાખ જેટલા વૃક્ષો વવાઇ ચુકયા છે અને તેનું જતન પણ થઇ ચુકયું છે. જામનગર શહેરમાં પણ વૃક્ષારોપણનું કામ આગળ વધાયુ છે. સુરતમાં પણ ૬૦ હજાર વૃક્ષો વવાય ચુકયા છે અને તેનું જતન પણ કરવામાં આવી રહ્યું છે. લોખંડના પીજરા સામે વૃક્ષોનું સલામત રીતે આરોપણ કરવામાં આવ્યા બાદ આખુ વર્ષ ટેન્કર ભાડે રાખી તેને પાણી પીવડાવવામાં આવે છે. કોઈ કારણથી રોપાને નુકસાન થયું હોય તેની જગ્યાએ બીજા રોપાનું વાવેતર કાર્યકરો કરી આપે છે. પડધરી તાલુકાની તમામ સરકારી ખરાબાની જમીન અને જાહેર સ્થળોએ ૨ લાખ ૮૭ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જણાવી તેઓએ ઉમેયુ હતું કે એક સમયે અહીં ગાંડા બાવળ ઉભા હતા, પરંતુ આજે હરીયાળા વૃક્ષો કતારબધં જોવા મળે છે. લીલાછમ વૃક્ષોથી શોભતા માર્ગેા જેમ શહેરની અલગ ઓળખ ઉભી કરી રહ્યાં છે તેમ સૌરાષ્ટ્ર્રને જોડતા હાઈવે પણ હરીયાળી થકી કાઠીયાવાડની પ્રાકૃતિક શોભામાં વધારો કરશે.



એક અનોખી પ્રવૃત્તિનો આરભં 'બળદ આશ્રમ'
સંસ્થાએ એક અનોખી પ્રવૃત્તિનો આરભં કરીને, તદ્દન નવો ચીલો ચાતર્યેા છે. એ પ્રવૃત્તિ એટલે 'બળદ આશ્રમ' એટલે કે બળદો માટેનો આશ્રમ. ગૌવંશનું હિત જોનારી આપણી સંસ્કૃતિમાં ગાયોની માવજત, સારવાર અને સેવા તો સહત્પ કરે છે. પણ બળદો પ્રત્યે સમાજમાં સંપૂર્ણપણે દુર્લય સેવાતું જોવા મળ્યું છે. ત્યારે સંસ્થા દ્રારા ખાસ નોધારા, અશકત અને બીમાર બળદો માટે 'બળદ આશ્રમ' બનાવવાની પહેલ કરવામાં આવી. સંસ્થાના આ નવા પરિમાણથી, આજ સુધી તરછોડાયેલી સ્થિતિ પામેલા ગૌવંશના અબોલ જીવને બચાવવાની ખેવના સાકાર થઇ રહી છે. સંસ્થાનાં આ નવતર પ્રયાસ થકી અત્યારે ૭૦૦ જેટલા બળદો સંસ્થાના આશ્રિત છે. યારે સંસ્થાનું લય ૧૦,૦૦૦ બળદોને આશરો આપવાનું છે.વધુ માહિતી માટે સદભાવના વૃદ્ધાશ્રમ સંપર્ક : (મો. ૮૦૦૦૨ ૮૮૮૮૮) અને www.facebook.com/SadbhavnaVrudhashramનો સંપર્ક કરવા જણાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application