જામનગરમાં નશાયુકત પીણાની ૭૦ બોટલ કબ્જે

  • June 27, 2023 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંધાશ્રમ આવાસમાં પોલીસનો દરોડો : શંકાસ્પદ બોટલો પરીક્ષણમાં મોકલાઇ

જામનગર શહેરમાં હર્બી પીણાંની શંકાસ્પદ બોટલો બાબતે જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહયા છે, બે દિવસ દરમ્યાન નશાકારક બોટલો કબ્જે કર્યા બાદ ગઇકાલે અંધાશ્રમ આવાસ વિસ્તારમાં દરોડો પાડીને શંકાસ્પદ ૭૦ બોટલો કબ્જે કરવામાં આવી હતી.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ હર્બલ ટોનીક (હર્બી) પ્રોડકટ કે જેમાં આલ્કોહોલ વધુ પ્રમાણમા હોય જેના લીધે નશો થાય તેનું વેચાણ ચાલુ હોય જેને ડામવા ડ્રાઇવ રાખેલ હોય તેમજ ઇન્ચાર્જ ડીવાયએસપી  મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ સીટી-સી પીઆઇ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ વી.એ. પરમાર તથા સર્વેલન્સ સ્કોડના માણસો સીટી-સી વિસ્તારમાં  હર્બલ ટોનીક (હર્બી) શોધવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન હેડ કોન્સ. જાવેદભાઇ વજગોળ તથા પો.કોન્સ હોમદેવસિંહ જાડેજાને સંયુકત બાતમી રાહે મળેલ હકીકત આધારે જામનગર અંધાશ્રમ આવાસ બ્લોક નં. ૯૧ રુમ નં. ૪માં ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાંથી શંકાસ્પદ નશાકારક કેફી પીણાનો ૭૦ બોટલ કબ્જે કરી એફએસએલ તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરીક્ષણ માટે મોકલી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application