જીએસટીના ગુન્હાઓમાં વધુ ૭ આરોપીઓ ઝડપાયા

  • December 18, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના બહુ ચર્ચિત જીએસટી કૌભાંડ મામલે વધુ સાત શખ્સોને એસઆઇટીની ટીમએ ઝડપી લીધા હતા. લોકોના ડોક્યુમેન્ટ મેળવી અને બોગસ પેઠી ઉભી કરી સરકાર સાથે ટેક્ષના પૈસાની ઉચાપટ કરતા હતા. આ અગાઉ પણ અનેક લોકોના નામ ખુલવા પામ્યા હતા. ત્યારે વધુ સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.


આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જીલ્લામાં અશિક્ષીત અને ગરીબ માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તે ડોકયુમેન્ટોનો ઉપયોગ કરી નવો જીએસટી નંબર મેળવી તેના આધારે સરકારના ટેક્ષની ઉંચાપાત કરતા સાત શખ્સોને એસઆઇટી ટીમે ઝડપી લીધા પાડ્યા હતા. લોકોના આધારકારમાંથી નવુ સીમકાર્ડ ખરીદી અને આધારકેન્દ્રમાં જઇ માણસોના આધારકાર્ડમાં નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી અને તેના આધારે જીએસટીની વેબસાઇટ ઉપર થી સદર માણસોના નામે નવો જીએસટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીતવમા લાવી ખોટી રીતે જીએસટી નંબર મેળવી તેની ઉપર બોગસ બીલીંગનુ કામ કરી સરકારને ભરવાના ટેક્ષના નાણાની ઉચાપત કરતા હતા. આ બોગસ પેઢીઓ નો ઉપયોગ કરતા હોય જે બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા ૧ ગુન્હો તથા નિલમબાગ પોલીસ સ્ટેશનમા ૩ ગુન્હા તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં-૧ તથા અમરેલી ટાઉન પો.સ્ટે.માં-૧ ગુનો એમ કુલ-૬ ગુના બાબતે ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪, ૧૨૦(બી) વિગેરે મુજબ ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા. જે બાબતેની સરકારએ ગંભીરતા લઇ ગુજરાત રાજયના ડીજીપી દ્વારા રેન્જ આઇજી ગૌતમ પરમારના અધ્યક્ષ સ્થાને એક સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી હતી. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારના માર્ગદર્શન અને સુચના હેઠળ પોલીસ ઇન્સ્પેકટર આર.એન. વિરાણી તથા કે.જી.ચાવડાનાઓની સુચના મુજબ પાલીતાણા ટાઉન પો.સ્ટે.માં દાખલ થયેલ ગુન્હાના આરોપીઓ નદીમરજા ઉર્ફે નઇમ ઉર્ફે વીલન ફીરોજઅલી સારાણી (ઉ.વ.રર રહે-આંબાચોક, ખોજાવાડ, ગલી નં-૦૪, વકીલ બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર), અજયભાઇ પ્રવિણભાઇ ડાભી (ઉ.વ.૨૬ રહે-પ્લોટ નં-૩૯૪, સોમનાથ સોસાયટી, બાલયોગી નગર, મંત્રેશ પાસે) અને રાહીલભાઇ ઉર્ફે આર.કે. યુનુસભાઇ હબીબાણી (ઉ.વ.૨૬ રહે. વડવા, બાપસરા કુવા, રવાભાઈની શેરી), ઇમરાનભાઇ અયુબભાઇ પઢીયાર (ઉ.વ.૩૭ રહે-મતવાચોક, જુબેરી ફલેટ, બ્લોક નં-૨૦૧), યુનુસ ઉર્ફે લાલો લુહાર ઇકબાલભાઇ સમા (ઉ.વ.૩૮ રહે-અમીપરા, મસ્જીદની સામે) મોઇનમીયા મહમદમીયા વાહેશ (ઉ.વ.૨૨ રહે-હવામસ્જીદ પાસે, શેરી નં-૨ મફતનગર પ્રભુદાસ તળાવ)ને તથા નિલમબાગ પો.સ્ટે. દાખલ થયેલ ગુનામાં આરોપી શોયેબ ઉર્ફે બીગડે બાબુહુસેનભાઇ શેખઅમુદીન (ઉ.વ.-૨૯, રહે. દીવાનપરા રોડ, રાણીકા આરબવાડ, સાંઢીયાવાડ)ની ધરપકડ કરી હતી. જેમાંથી બે શખ્સોને પાલીતાણા કોર્ટમાં રજુ કરી અને એકને ભાવનગર કોર્ટમાં રજુ કરવામાં આવેલ હતા. સીટ ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ-૧૨૪ આરોપીઓની ઘરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application