વૃદ્ધના પેટમાંથી 6110 પથરી નીકળી, સર્જરી કરતાં તબીબોનો પરસેવો છૂટ્યો

  • September 10, 2024 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનના કોટામાં એક 70 વર્ષીય વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા. તેઓ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં જાણવા મળ્યું કે વૃદ્ધના પિત્તાશયમાં પથરી છે, તે પણ મોટી માત્રામાં. ડોક્ટરોએ તાત્કાલિક વૃદ્ધનું ઓપરેશન કર્યું પરંતુ જ્યારે તેણે પથરી કાઢવાનું શરૂ કર્યું તો ખુદ ડોક્ટરો પણ દંગ રહી ગયા. દર્દીનું ઓપરેશન અડધા કલાક સુધી ચાલ્યું. ડોક્ટરોએ વૃદ્ધના પેટમાંથી 6110 પથરી કાઢી.


હવે આ વૃદ્ધ વ્યક્તિ ઓપરેશન બાદ સંપૂર્ણ સ્વસ્થ છે. સર્જરી કરનાર લેપ્રોસ્કોપિક સર્જનએ જણાવ્યું કે વૃદ્ધના પેટમાં આટલી પથરી કેવી રીતે થઇ?  બુંદી જિલ્લાના એક 70 વર્ષીય ખેડૂત થોડા દિવસોથી પેટમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા. પેટમાં ભારેપણું હોવાની ફરિયાદ સાથે તે ડૉક્ટર પાસે ગયા. જ્યારે વૃદ્ધની સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે ખબર પડી કે પિત્તાશય સંપૂર્ણ રીતે પથરીથી ભરેલુ છે. પિત્તાશયનું કદ સામાન્ય રીતે 7 બાય 2 સેમી હોય છે, જે વધીને બમણું (12 બાય 4 સે.મી.) થઈ ગયું હતું.


70 વર્ષીય વ્યક્તિનું ઓપરેશન 5 સપ્ટેમ્બર, શુક્રવારે કરવામાં આવ્યું હતું. પછી એક દિવસ પછી તેને રજા આપવામાં આવી. સફળ ઓપરેશન બાદ વૃદ્ધ વ્યક્તિ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. પેટમાંથી પથરી બહાર કાઢ્યા બાદ તેની ગણતરી કરવામાં સ્ટાફને અઢી કલાકથી વધુ સમય લાગ્યો હતો. પિત્તાશયમાં આટલી બધી પથરીની ઘટના આનુવંશિક કારણોસર પણ હોય શકે છે. ડૉક્ટરનું માનવું છે કે ફાસ્ટ ફૂડ, ફેટી ફૂડ અથવા ઝડપી વજન ઘટાડવું જેવી ખાવાની આદતો પણ આનું કારણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application