ભારતમાં માનસિક બિમારીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી મોટાભાગની દવાઓ કોકટેલ દવાઓ છે અને તે બજારમાં વેચાણ માટે માન્ય નથી. આ માહિતી યુરોપિયન, કતાર અને ભારતીય સંશોધકોના અભ્યાસમાં સામે આવી છે, જેમણે ભારતમાં કોકટેલ દવાઓના સતત વધી રહેલા બજાર અંગે ચિંતા વ્યકત કરી છે. માનસિક બીમારીઓ માટે ઉપયોગમાં લેવાતી ૧૦માંથી છ કોકટેલ દવાઓ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. તેમની પાસે સરકારની પરવાનગી નથી. આવી હજારો દવાઓ બજારમાં ઉપલબ્ધ છે જેની સામે સંશોધકોએ કડક પગલાં લેવાની અપીલ કરી છે.
જર્નલ ઓફ ફાર્માસ્યુટિકલ પોલિસી એન્ડ પ્રેકિટસમાં એક અભ્યાસ પ્રકાશિત થયો છે જેમાં ભારતમાંથી પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા, યુકેની ન્યૂકેસલ યુનિવર્સિટી, લંડનની કવીન મેરી યુનિવર્સિટી અને કતાર યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢું છે કે ૬૦% દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં માનસિક બિમારીઓની સારવાર મોટાભાગની કોકટેલ દવાઓના વેચાણ માટેનું લાઇસન્સ હોતું નથી. આ એવી દવાઓ છે જેમાં એક કરતાં વધુ દવાઓ હોય છે. આમ છતાં ભારતમાં આ દવાઓનો કારોબાર હજારો કરોડ પિયામાં ફેલાઈ ગયો છે.
નવી દિલ્હી સ્થિત પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના આરોગ્ય નિષ્ણાત આશના મહેતા કહે છે કે ભારત લાંબા સમયથી ગેરકાયદેસર દવાઓ સામે સંઘર્ષ કરી રહ્યું છે. આને દૂર કરવાના નોંધપાત્ર પ્રયાસો છતાં ગેરમાન્ય એફડીસી દવાઓ હજુ પણ બજારમાં હાજર છે.
આશના મહેતાના કહેવા પ્રમાણે, તેમની આખી ટીમ છેલ્લા એક દાયકાથી આ દવાઓના બિઝનેસ પર સંશોધન કરી રહી છે. ૨૦૨૩માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય બજારમાં વેચાતી ૭૦ ટકા એન્ટિબાયોટિક એફડીસી દવાઓ વેચાણ માટે માન્ય નથી.
ભારતમાં ૩૦ માંથી માત્ર ૬ દવાઓ જ માન્ય
સંશોધકોએ જણાવ્યું હતું કે ભારતીય ફાર્માસ્યુટિકલના કોમર્શિયલ ડેટા ફાર્માટ્રેક પર સૂચિબદ્ધ ૩૫ સાયકોટ્રોપિક એફડીસી છે જે ૨૦૦૮ અને ૨૦૨૦ વચ્ચે વેચવામાં આવ્યા છે. આ ૩૫માંથી ૩૦ વિશે માહિતી ઉપલબ્ધ છે. તેથી સંશોધકોએ માત્ર આ ૩૦ દવાઓ પર જ તપાસ આગળ વધારી, જેમાંથી ૧૩ એન્ટિસાઈકોટિકસ, ૧૧ એન્ટીડિપ્રેસન્ટસ અને છ બેન્ઝોડિયાઝેપિન દવાઓ છે. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા યારે તેઓએ જોયું કે ભારતમાં ૩૦ માંથી માત્ર ૬ દવાઓ જ માન્ય છે.
સરકાર અભ્યાસ પર વિચાર કરશે: આરોગ્ય મંત્રાલય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું છે કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને સરકાર લાંબા સમયથી એફડીસી દવાઓ સામે કડક વલણ અપનાવી રહી છે. આ અભ્યાસ ધ્યાનમાં લેવામાં આવશે. આ માટે સંબંધિત સમિતિઓને સમીક્ષા માટે કહેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું છે કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન ટૂંક સમયમાં વધુ એફડીસી દવાઓ પર પ્રતિબધં મૂકવા જઈ રહ્યું છે જે દર્દીઓ માટે જોખમી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફેબ્રુઆરીમાં વેજ-નોનવેજ થાળીના ભાવમાં 5 ટકાનો ઘટાડો: રિપોર્ટ
March 11, 2025 10:29 AMદ્વારકા જિલ્લામાં બે યુવાનોના હૃદયરોગના હુમલાથી મોત
March 11, 2025 10:25 AM2027 સુધીમાં એઆઈ ક્ષેત્રમાં 10 લાખથી વધુ કુશળ વ્યાવસાયિકોની અછત સર્જાશે
March 11, 2025 10:25 AMજામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા દિનની ઉજવણી
March 11, 2025 10:23 AMમહિલાઓની છેડતી કરનારને માર મારવો જોઈએ અને બળાત્કારીઓને નપુંસક બનાવી નાખોઃ રાજસ્થાનના રાજ્યપાલ
March 11, 2025 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech