જામનગર શહેર, જીલ્લામાં જુગાર અંગે વ્યાપક દરોડા પાડવામાં આવી રહયા છે, ગઇકાલે વધુ ત્રણ સ્થળે પોલીસે ત્રાટકીને ૬ મહિલા સહિત ૧૬ને રોકડ સાથે અટકાયત કરી હતી, અહીંના પાણાખાણ, જામજોધપુર અને સંગચિરોડામાં દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતી મુરલીધર સોસાયટીમાં રહેતી સવિતાબેન માલદે નંદાણીયા, ગાયત્રીનગરની મુમતાઝબેન સીદીક ખફી, દિ.પ્લોટ-૫૮માં રહેતી મનિષા ઉર્ફે પ્રવિણાબેન પ્રતાપ હરવરા, તિરુપતી સોસાયટીની સોનલબેન વિજય શ્રીમાળી, સરદારનગરની જયદીપાબેન વિજય ગોસ્વામી અને દિ.પ્લોટ હાલ હર્ષદમીલની ચાલી, પ્રણામી સોસાયટીમાં રહેતી જમનાબેન હંસરાજ ખીચડીયાને રોકડા ૧૫૧૦૦ અને ગંજીપતા સાથે અટકાયત સીટી-બી ડીવીઝને કરી હતી.
બીજા દરોડામાં જામજોધપુરમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા જામજોધપુરના દેવજી ઉર્ફે દેવો ગોવિંદ રાઠોડ, ચંદુ પાલા રાઠોડ, જેન્તી ઉર્ફે દકુ મનુ મકવાણા, અમુ બધા પરમાર અને મનસુખ પાલા વિંજુડાને રોકડા ૩૩૪૦ સાથે ઝડપી લીધા હતા.
ત્રીજા દરોડામાં શેઠવડાળાના સંગચિરોડા બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા સંગચિરોડા ગામના ભુપતગીરી પ્રેમગીરી ગોસ્વામી, દિનેશ મંગા સોલંકી, જીવરાજ કરશન સોલંકી, મહોબતસિંહ અમરસિંહ ચાવડા અને રાણાવાવના મફતીયાપરાના હારૂન મામદ વિરપરીયાને સ્થાનીક પોલીસે પકડી લીધા હતા, દરોડા દરમ્યાન ૧૫૬૦ની રોકડ અને ગંજીપતા કબ્જે લેવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech