જામનગરમાં એક જ દિવસમાં લઘૂતમ તાપમાનમાં ૬ ડીગ્રીનો ઘટાડો

  • February 09, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે સાંજે વાતાવરણમાં બદલાવ થયો: ઠંડો પવન ફુંકાતા લોકોએ ફરીથી ટાઢકનો અનુભવ કર્યો: જનજીવન પર અસર

ધીમે-ધીમે ઉનાળો આવી રહ્યો છે તેવો અહેસાસ થતો હતો ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ ફરીથી ઠંડીનો ચમકારો શરુ થયો છે, ગઇકાલ કરતા એક જ દિવસમાં લઘૂતમ તાપમાનમાં ૬ ડીગ્રીનો ઘટાડો થયો છે, એટલું જ નહીં ગઇકાલે સાંજે અને આજે સવારે ૩૫ કિ.મી.ની ઝડપે બર્ફીલો ઠંડો પવન ફુંકાયો હતો જેને કારણે જનજીવન પર અસર થઇ છે, આગામી ચારેક દિવસ ઠંડીનું વાતાવરણ રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
હાલારના જનજીવન ઉપર ઠંડીની ભારે અસર થઇ છે. આગામી દિવસોમાં હજુ કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ આવશે તેવી હવામાન ખાતાની આગાહી આવી છે ત્યારે લોકોમાં અત્યારથી જ ફફડાટ ફેલાયો છે. લોકોએ એસી, પંખા બંધ કરી દીધા છે અને ઘરમાં પણ તાપણાનો સહારો લીધો છે ત્યારે સતત ત્રણ અઠવાડીયાથી જામનગર સહિત સમગ્ર હાલારમાં ટાઢોડુ યથાવત રહ્યું છે. જેના લીધો જીરાના પાકમાં આગામી દિવસોમાં સારો ફાયદો થશે તેમ ખેતીવાડી નિષ્ણાંતોનું કહેવું છે. જો કે આજે ઠંડીનું પ્રમાણ ગઇકાલ કરતા વઘ્યું છે અને આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી શકયતા છે. જો કે હવામાં ભેજ ૫૩ ટકા રહ્યો હતો.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૩.૮ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૮ ડીગ્રી રહ્યું હતું,  હવામાં ભેજ ૫૩ ટકા અને પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
વસંતપંચમી નજીક આવી રહી છે ત્યારે ધીરે-ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે, લઘુતમ તાપમાન ૧૩.૮ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૨૮ ડીગ્રી નજીક પહોંચી રહ્યું છે, આમ હવે મીશ્ર ઋતુને કારણે ગળુ બેસી જવું, તાવ, શરદી, ઉધરસના કેસોમાં સારો એવો વધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application