અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજયનું આરોગ્ય વિભાગ એકશન મોડમાં આવ્યું છે. ખાસ કરીને પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ આચરી સરકારી નાણાં ઓળવી લેવા ઉપરાંત હવે એસઓપીનું ઉલ્લઘન કરવા બદલ પણ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે રાયની પાંચ હોસ્પિટલને જુદી જુદી ત્રુટીઓ બદલ યોજનામાંથી સસ્પેન્ડ કરી ૫૦ લાખથી વધુની પેન્લટી ફટકારતા પ્રાઇવેટ હોસ્પિટલના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. સસ્પેન્ડ કરવામાં આવેલી હોસ્પિટલ્સમાં પાટણ જિલ્લાની બે, દાહોદ, અમદાવાદ, અરવલ્લીની હોસ્પિટલનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય– મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાયની કોઇપણ હોસ્પિટલ કે ડોકટરની કામગીરીને સાંખી નહી લેવાનો રાય સરકારનો સંકલ્પ છે. તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાયના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડોકટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગતની સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાયમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી. જેના અંતર્ગત ગત અઠવાડિયામાં તા. ૨ ડિસેમ્બર થી ૮ ડિસેમ્બર સુધીમાં રાયમાં વિવિધ જિલ્લાઓમાં ૫ હોસ્પિટલ અને ૨ ડોકટરની ગેરરીતિઓ સામે આવી છે.
વધુમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત નીટ એન્ટી ફ્રોડ યુનિ ટીમ દ્રારા રાયની અન્ય હોસ્પિટલની પણ મુલાકાત કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાનની હોસ્પિટલસની રેકોર્ડ ચકાસણી થઇ રહી છે . આ રેકોર્ડમાં યોજનાની માર્ગદર્શિકાનું કયાંય પણ ઉલ્લંધન થતું હશે તો આ હોસ્પિટલ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયો, રેડિયો, કિમો, નીઓનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા બનાવી છે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, જાન્યુઆરી ૨૦૨૪ થી અત્યારસુધીમાં પીએમજેએવાય–મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ કુલ ૧૨ હોસ્પિટલને સસ્પેન્ડ, ડિએમ્પેન્લ્ડ કરવામાં આવી છે. રાયના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને આ યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર મળે એ જ રાય સરકારનો યોજનાના પ્રારંભથી સંકલ્પ રહ્યો છે. આ યોજનાની આડમાં ગેરરીતિ આચરતી હોસ્પિટલસ અને ડોકટરની અમાનવીય પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી નહીં લેવાનો રાય સરકારનો સંકલ્પ છે
કઈ હોસ્પિટલ સામે કયા કારણોસર કાર્યવાહી
– પાટણની હિર હોસ્પિટલમાંપ્રી–ઓથ દરમિયાન કુલ ૯૧ જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેકટ કર્યા હોવાનું માલુમ પડું . જેથી હિર હોસ્પિટલ અને તેમાં ફરજરત ડો. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેલ્થ સ્પ્રિંગ ૨૪ પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. વધુમાં હોસ્પિટલમાં . ૫૦,૨૭,૭૦૦ની રીકવરી અને પેનલ્ટી પણ કરાઇ છે.
– પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીયોનેટલ કેર સેન્ટરમાં પ્રિ–ઓથ દરમિયાન કુલ ૬૦ જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલ દ્રારા જે લેબોરેટરીનું ટાઇઅપ કરેલ છે તેમની પાસે દર્દીના લેબ રીપોર્ટ માંગવામાં આવતા રીપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાઇ આવ્યું. જેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજરત ડો. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં શિવ ડાયોસ્ટિક લેબોરેટરી, પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઇ છે. હોસ્પિટલને કુલ . ૧૫,૧૬,૩૫૦ની રીકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે.
– દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રકચર ન હોવાનું અને ઇન્ફેકશન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઇ છે.
– અમદાવાદની સેન્ટારા ઓર્થેાપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું બી.યુ. પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્કષાપયરી વાળી દવાનો જથ્થો જણાઇ આવતા હોસ્પિટલને બી.યુ. પરમીશન ન મળે તેમજ ઉકત ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઇ છે.
– અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેટી સર્ટીફિકેટ એકસપાયર્ડ, તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઇ ન આવતા આ હોસ્પિટલને પણ ફાયર સેટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.
આ હોસ્પિટલ્સનો સમાવેશ
– હિર ચિલ્ડ્રન હોસ્પિટલ – પાટણ
– નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર – પાટણ
– સોનલ હોસ્પિટલ – દાહોદ જિલ્લો
– સેન્ટારા ઓર્થેાપેડિક હોસ્પિટલ – અમદાવાદ
– જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલ– અરવલ્લી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech