મથુરામાં બાંકે બિહારી મંદિર પાસે બાલ્કની પડતાં 5ના મોત

  • August 16, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુપીના બાંકે બિહારી મંદિર પાસે બાલ્કની અચાનક ધસી પડતાં 5નાં મોત થયા હતા. ઘાયલોને તાકીદે હોસ્પિટલ ખસેડાયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનામાં માયર્િ ગયેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે અને અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

લખનૌમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઘટનામાં માયર્િ ગયેલા લોકોના નજીકના સંબંધીઓને 4 લાખના વળતરની જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સાંજે બની હતી. પોલીસે જણાવ્યું હતું કે બાલ્કનીનો મોટો ભાગ પહેલા ઘર પાસેથી પસાર થતા ભક્તો પર પડ્યો હતો અને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બિલ્ડિંગની વધુ એક એક દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી.
અધિકારીએ કહ્યું કે તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ મહિલાઓ સહિત પાંચને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ મૃતકોની ઓળખ ગીતા કશ્યપ (50), અરવિંદ કુમાર યાદવ (35) અને કાનપુરના રશ્મિ ગુપ્તા (52), વૃંદાવનની અંજુ મુર્ગન (51) અને દેવરિયાના ચંદન રાય (28) તરીકે કરી છે.વધુ તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application