રાજ્યમાં ચાંદીપુરાથી 43 મોત, ગ્રામીણ વિસ્તારથી શરૂ થયેલા ચાંદીપુરા વાયરસના કેસ મેટ્રો શહેર સુધી પહોંચ્યો

  • July 25, 2024 11:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો થઈ રહ્યો છે. મહત્વનું છે કે ઇતિહાસમાં પહેલીવાર ચાંદીપુરાથી 43 લોકોના મોત રાજ્યમાં થયા છે. રાજ્યમાં હિંમતનગરથી શરૂ થયેલો ચાંદીપુરા વાયરસ હવે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સુધી પહોંચ્યો છે. રાજ્યમાં હજુ 54 દર્દી સારવાર હેઠળ થયા છે.


ત્યારે શરૂઆતમાં આ વાઇરસની અસર ફક્ત ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ‌તી હતી. પરંતુ હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવાં મોટાં શહેરોને પણ આ વાઇરસે પોતાની ઝપેટમાં લીધાં છે. ગ


ચાંદીપુરા વાયરસના સંક્રમણનું પગેરું શોધવા કેન્દ્રમાંથી ગુજરાત આવ્યા બે વૈજ્ઞાનિક

ચાંદીપુરા વાયરસને લઈ કેન્દ્રના બે વૈજ્ઞાનિકો ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ગાંધીનગરમાં વાયરસ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી છે. આ બન્ને વૈજ્ઞાનિકો ગઈકાલે ગાંધીનગર સેકટર 17માં ચાદીપુરા વાયરસ અંગે તપાસ કરી હતી. કેન્દ્રમાંથી આવેલા 2 વૈજ્ઞાનિકો એ તપાસ કરી રહ્યાં છે કે, ચાંદીપુરા વાયરસનું સંક્રમણ કઈ રીતે થયું.


ચાંદીપુરા વાયરસ શું છે?

વર્ષ 1966માં પહેલીવાર મહારાષ્ટ્રમાં આ સાથે સંબંધિત મામલો સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો.


ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?

ચાંદીપુરા વાઇરસને કારણે દર્દીને તાવની ફરિયાદ થાય છે. તેમાં ફલૂ જેવા લક્ષણો અને ગંભીર એન્સેફ્લાઈટિસ છે. એન્સેફ્લાઈટિસ એ એક રોગ છે જેના કારણે મગજમાં સોજો આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application