જામનગરમાં ઇકો ચાલકો સામે ટ્રાફિક શાખાની તવાઈ 40 કાર ડીટેઇન કરાઇ

  • March 22, 2025 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સાત રસ્તા સર્કલ વિસ્તારમાં પેસેન્જર ભરવા બાબતે કેટલાક ઇકો કારચાલકો વચ્ચે ઝઘડા થયા હતા, અને ભારે બબાલ સર્જાઇ હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં ઇકો કારના ચાલકો ત્યાંથી ભાગી છુટ્યા હતા.

જેના પ્રત્યાઘાતો પડ્યા હતા, જામનગરની ટ્રાફિક શાખાની ટીમ સાત રસ્તા સર્કલ, સમર્પણ સર્કલ, માલધારી સુભાષ બ્રીજ વિગેરે જેવા વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરી એકી સાથે 40 જેટલી ઇકો કાર ડીટેઇન કરી હતી.

જે તમામ ઇકો કારને પોલીસ હેડ ક્વાટરમાં રાખવામાં આવી છે, અને તમામ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક શાખાનો આ સપાટો જોઈને અન્ય કેટલાક ઇકોકારના ચાલકો સાત રસ્તા અથવા તો આસપાસના વિસ્તારમાંથી પોતાનું વાહન લઈને ભાગી છુટ્યા હતા, અને એક પણ વાહન દેખાતું ન હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application