ભાવનગર : સિહોરમાં ૪ અને ઉમરાળામાં ૩ ઇંચ ધોધમાર વરસાદ

  • July 11, 2023 09:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

જિલ્લાના તળાજામાં પોણો ઇંચ  પાલીતાણામાં અર્ધો ઇંચ વરસાદ


ભાવનગર જિલ્લાના સિહોરમાં બપોર બાદ ધોધમાર 4 ઇંચ અને ઉમરાળામાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.જ્યારે પાલીતાણા અને તળાજા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.


ભાવનગર શહેર અને જિલ્લામાં દિવસ પર વરસાદી માહોલ જળવાઈ રહ્યો હતો. ભાવનગર શહેરમાં દિવસ દરમિયાન  વરસાદના છૂટાછવાયા ઝાપટા વરસી ગયા હતા.  જ્યારે શિહોરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને 4 ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. ઉમરાળામાં પણ સાંજના સમયે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.ભાવનગર જિલ્લાના તળાજામાં 16 મી.મી. પાલીતાણામાં 12 મી.મી.મહુવામાં 2 મી.મી.વરસાદ નોંધાયો છે.


આજે ભાવનગર શહેર નું મહત્તમ તાપમાન 33.7 ડીગ્રી નોંધાયું હતું .જ્યારે લઘુતમ તાપમાન 26.1 ડીગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 8 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application