યુવાન દેખાવાની લાલસામાં માણસ એ ભૂલી ગયો છે કે વૃદ્ધ થવું એ પણ જીવનની વાસ્તવિકતા છે. કદાચ એટલે જ હવે કેટલાક લોકોએ પોતાની યુવાની જાળવી રાખવાની લોકોની ઈચ્છાનો ફાયદો ઉઠાવીને તેમને છેતરવાનો પ્લાન બનાવ્યો છે. કાનપુરમાં, ઇઝરાયેલી મશીન 60 વર્ષથી વધુ વયના વડીલોને 25 વર્ષના યુવાનોમાં જેવા બનાવી દેશે તેવું બહાનું કરીને આશરે રૂ. 35 કરોડની છેતરપિંડી કરવા બદલ પતિ-પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પતિ-પત્નીએ બધાને છેતયર્િ હતા કે આ ઈઝરાયેલનું મશીન ઓક્સિજન થેરાપી કરે છે, જેના કારણે વૃદ્ધો યુવાન થઈ જાય છે.
લોકોમાં કાયમ યુવાન રહેવાની ઈચ્છા એટલી પ્રબળ હતી કે થોડા જ દિવસોમાં હજારો લોકોએ આ પતિ-પત્ની સંસ્થામાં અંદાજે 35 કરોડ રૂપિયા જમા કરાવ્યા. ઘણા લોકોએ આ મશીનમાં ઓક્સિજન થેરાપી પણ લીધી પરંતુ કોઈ 60માંથી 59 વર્ષની ઉંમર સુધી પણ પહોંચી શક્યું નહીં. આખરે જ્યારે લોકોને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.
ડો.રેણુ ચંદેલે બંને સામે પોલીસ રિપોર્ટ નોંધાવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. રેણુ સિંહ ચંદેલનો આરોપ છે કે સ્વરૂપ નગરના રહેવાસી રાજીવ દુબે અને તેની પત્ની રશ્મિ દુબેએ સાકેત નગરમાં રિવાઈવલ વર્લ્ડ નામની સંસ્થા ખોલી છે. બંનેએ દાવો કર્યો છે કે તેમણે વૃદ્ધોને યુવાન બનાવવા માટે ઈઝરાયેલથી મશીન આયાત કર્યું છે.
વૃદ્ધાવસ્થાથી યુવાન બનવાની ઇચ્છામાં લોકો તેની થેરાપી લેતા રહ્યા. ઉપચાર માટે પતિ-પત્નીએ કેટલાક લોકો પાસેથી 60000 રૂપિયા અને કેટલાક લોકો પાસેથી 90000 રૂપિયા લીધા હતા. પરંતુ થેરાપીને કારણે કોઈ પણ યુવાન થયું નથી અને કોઈએ તેમની ઉંમર 60 થી 59 વર્ષ સુધી બદલી નથી. જ્યારે લોકોને ખબર પડી કે આ લોકોએ તેમની સાથે છેતરપિંડી કરી છે, તો તેઓએ તેમના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું. પરંતુ દંપતી તેમના ફ્લેટને તાળું મારીને ગાયબ થઈ ગયું હતું. હાલ બંનેની શોધખોળ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech