રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આગામી પ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા રસરંગ લોકમેળાની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા સિટી પ્રાંત-૧ અધિકારી કે.જી. ચૌધરી દ્વારા આજે ખાણીપીણીના ૩૨ સ્ટોલની હરરાજી કરીને ફાળવણી કરવામાં આવી હતી.
ખાણીપીણીના કોર્નરના ૩૨ પ્લોટ વિવિધ સ્ટોલધારકોને ફાળવ્યા
હરરાજી બાદ બી-૧ શ્રેણીના ખાણીપીણીના કોર્નરના ૩૨ પ્લોટ વિવિધ સ્ટોલધારકોને ફાળવી દેવાયા છે. આ સાથે તેઓએ ભરેલી એડવાન્સ રકમ તથા હરરાજીમાં આખરી થયેલી રકમ બાદ તફાવતની રકમ ભરવા માટે ૧૭મી ઓગસ્ટ સુધીની મુદ્દત આપવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે ૧૦મી ઓગસ્ટે યાત્રિંક રાઇડસ્ તથા ૧૧મી ઓગસ્ટે આઇસક્રીમના સ્ટોલ્સની હરરાજી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech