ખુલ્લો વીજ વાયર ટ્રેક્ટરને અડી જતાં અંદર સવાર 3 મજૂરોના મોત

  • February 12, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરના પાટડીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજરોજ વહેલી સવારે ટ્રેક્ટરમાં બેસીને મજૂરી કામે જતા વીજ શોક લાગતા 7 જેટલા મજૂરો દાજી ગયા હતા. જેમાંથી 3 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે. તમામ મૃતક મજૂરો અને ઈજાગ્રસ્તો મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું સામે આવ્યું છે. ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડી જતા ટ્રેક્ટરના ચારેય ટાયરો વળી ગયા હતા.
પ્રાથમિક વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-દશાડા તાલુકામાં આવેલા બુબાળા ગામમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને મજૂરો કામ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડી જતા અંદર બેઠેલા 7 જેટલા મજૂરોને કરંટ લાગ્યો હતો. જેમાંથી 3 મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા, તો અન્ય ચાર જેટલા મજૂરો ગંભીર રીતે દાઝી જતા તેમને સાવાર માટે વિરમગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તથા મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. જાણકારી મુજબ, દાઝી ગયેલા ચારેય મજૂરોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. મૃતક અને ઈજાગ્રસ્ત મજૂરો મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application