ચીનના જિયાંગસી પ્રાંતમાં ભીષણ આગમાં 25 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ

  • January 25, 2024 12:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનના દક્ષિણ જિયાંગસી પ્રાંતમાં બુધવારે કેટલીક દુકાનોમાં લાગેલી ભીષણ આગને કારણે 25 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા શનિવારે ચીનમાં બે અલગ-અલગ જગ્યાએ લાગેલી આગમાં 21 લોકોના મોત થયા હતા.


ચીનના દક્ષિણ જિયાંગસી પ્રાંતમાં બુધવારે કેટલીક દુકાનોમાં લાગેલી ભીષણ આગને કારણે 25 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સરકારે એ નથી જણાવ્યું કે કેટલા લોકો ઘાયલ થયા છે.


સ્થાનિક અધિકારીઓએ શું કહ્યું?
જિયાંગસી પ્રાંતના યુશુઈ જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું કે, બુધવારે બપોરે 3:24 કલાકે એક શોપિંગ વિસ્તારના ભોંયરામાં આગ ફાટી નીકળી હતી. જે બાદ તરત જ બચાવકર્મીઓ, અગ્નિશામકો, પોલીસ અને સ્થાનિક અધિકારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application