દેશમાં કોરોનાને કારણે 24 દર્દીઓના મોત, છેલ્લા 24 કલાકમાં 9000થી વધુ કેસ નોંધાયા

  • April 17, 2023 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના વાયરસના કેસોમાં ધીમે ધીમે વધારો થતો જાય છે ત્યારે લોકોમાં ફરીથી કોરોનાનો ભય ફેલાતો જાય છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 9000 થી વધુ કોરોના દર્દીઓ સંક્રમિત થયા છે. આ દરમિયાન 24 દર્દીઓના મોત પણ થયા છે.જયારે ગુજરાતમાં 6 દર્દીઓના મોત થયા છે.


દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 24 કોરોના દર્દીઓના મોત નોંધાયા છે. એકલા ગુજરાતમાં 6 દર્દીઓના મોત થયા છે. ચેપનો દૈનિક-સાપ્તાહિક સકારાત્મક દર પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણના 9,111 કેસ નોંધાયા છે, જ્યારે 6,313 દર્દીઓ સાજા પણ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application