કૃષ્ણનગર યુવા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા ૯૦૦ કિલો ઘઉં- ૩૦૦ કિલો ગોળ અને ૩૦૦ કિલો તેલ મિશ્રિત ૧૫૦૦ કિલો લાડુ બનાવાયા
જામનગર માં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર યુવા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા સતત ૨૦ માં વર્ષે ગૌમાતા અને શ્વાન માટે નું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, અને ૧૫૦૦ કિલો સામગ્રીમાંથી લાડવા તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવી રહયું છે.
જામનગર ના કૃષ્ણનગર વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિક કૃષ્ણનગર યુવા ગ્રુપના ભાઈઓ અને મહિલા મંડળના બહેનો સહિતના ૫૦ થી વધુ સભ્યો દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી સેવા કાર્ય હાથ ધરાઈ રહ્યું છે, અને જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં જાહેરમાં ફરતી ગૌમાતા તેમજ શ્વાનને ચોમાસા પહેલા પ્રસાદ રૂપે લાડવા ખવડાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, જે પરંપરા આ વખતે ૨૦માં વર્ષે પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે.
બન્ને ગ્રુપના તમામ સભ્ય દ્વારા ૯૦૦ કિલોગ્રામ ઘઉં, ૩૦૦ કિલોગ્રામ ગોળ અને ૩૦૦ કિલો તેલ વગેરે ના મિશ્રણ સાથે કુલ ૧૫૦૦ કિલો ના લાડુ બનાવવામાં આવ્યા છે, અને તેનું પ્રસાદ રૂપે ગૌમાતા ને તેમજ શ્વાનને વિતરણ કરાઈ રહ્યું છે.
માત્ર કૃષ્ણનગર વિસ્તારમાં વસવાટ કરતા બંને સંસ્થાના સભ્યો દ્વારાજ પ્રતિવર્ષ સમગ્ર ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે. અને જાતેજ ઠેર ઠેર ફરી ને ગૌમાતા અને શ્વાન ને શોધી ને તેનું વિતરણ કરી પ્રેરણાંદાયી સેવા યજ્ઞ હાથ ધરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત માટે ૨૦૪૭ સુધીમાં ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવું મુશ્કેલ : માર્ટિન વુલ્ફ
July 06, 2024 01:59 PMઓછી આવક ધરાવતા દેશોમાં ૪ ટકાી વધુ નવજાત મૃત્યુનું કારણ આબોહવા પરિવર્તન
July 06, 2024 01:56 PMવિકટ્રી પરેડ બાદ મરીન ડ્રાઈવ પર એકઠો યો ૧૨ મેટ્રિક ટન કચરા
July 06, 2024 01:52 PMસાપે દંશ દીધો, યુવાને સાપને સામા બે બટકા ભરી લીધા, સાપનું મોત
July 06, 2024 01:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech