સ્કોલરશિપ માટે રાજકોટ સહિત રાજ્યના 2.24 લાખ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

  • April 08, 2024 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત રાજ્યમાં સ્કોલરશીપ માટે ગઈકાલે પરીક્ષા લેવાય હતી જેમાં 2.24 લાખ વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ માટે પરીક્ષા આપી હતી. ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે નોંધાયેલા 2.33 લાખ વિદ્યાર્થીઓ પૈકી પરીક્ષા વખતે 2.24 લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓની 96.48 ટકા હાજરી નોંધાઈ હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યના 811 સેન્ટરના 7992 જેટલા બ્લોકમાંથી પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પુર્ણ થયા બાદ હવે પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે.
નોંધાયેલા 233182 વિદ્યાર્થીઓ પૈકી પરીક્ષા વખતે 224977 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 8205 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ, કુલ 96.48 ટકા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટેની પરીક્ષા વખતે ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા પુર્ણ થતાં હવે પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. જેમાં પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ. 1 હજાર લેખે વાર્ષિક રૂ. 12 હજાર ચાર વર્ષ સુધી શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ માટે રાજ્યનો ક્વોટા 5097 વિદ્યાર્થીઓનો છે. પરીક્ષામાં બૌદ્ધિક યોગ્યતા કસોટીના 90 ગુણના 90 પ્રશ્નો, શૈક્ષણિક યોગ્યતા કસોટીના 90 ગુણના 90 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં મળીને 40 ટકા ગુણ મેળવવાના રહેશે. જ્યારે એસસી તથા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓએ 32 ટકા ગુણ મેળવવાના રહેશે. ક્વોલિફાઈંગ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર- કેટેગરીવાર નક્કી થયેલા ક્વોટા મુજબ શિષ્યવૃત્તિ આપવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી દિવસોમાં આન્સર કી જાહેર કયર્િ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application