જામનગરમાં ટ્રાફિક શાખા દ્વારા ૧૯ વાહનો ડીટેઇન

  • June 01, 2023 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેરકાયદે  મુસાફરોની હેરાફેરી કરતા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી :  ૮૩,૩૦૦નો દંડ વસુલાયો

 જામનગર શહેરમાં ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરી રહેલા વાહન ચાલકો સામે શહેરની ટ્રાફિક શાખા તેમજ આર.ટી.ઓ. શાખા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરી રહેલા ૧૯ વાહનો ડીટેઇન કરી લેવાયા છે, અને તેઓ પાસેથી રૂપિયા ૮૩,૩૦૦નો દંડ વસુલાયો છે, ઉપરાંત જાહેર માર્ગો પર પડી રહેલા ૨૨ વાહનો પણ ટોઈંગ કરી લેવાયા છે.
જામનગર શહેરના સાત રસ્તા સર્કલ, એસટી ડેપો રોડ સહિતના વિસ્તારમાં ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરી રહેલા વાહન ચાલકો સામે ટ્રાફિક શાખાની ટીમ તેમજ આરટીઓની ટીમ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને બે દિવસ દરમિયાન ઇકો કાર, બોલેરો સહિતના ૧૯ વાહનો ડીટેઇન કરી લેવામાં આવ્યા છે. સાથો સાથ રૂપિયા ૮૩,૩૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જામનગર શહેરમાં થી ટ્રાફિકને અડચણરૂપ તેમજ માર્ગ પર પડયા રહેલા કુલ ૨૨ વાહનોને ટોઈંગ કરી લઈ પોલીસ હેડક્વાર્ટરમાં જમા કરી દેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application