ચિંતન શિબિરના નિર્ણયનો અમલ: પ્રવાસન વિભાગમાં ૧૭ નવી જગ્યા ઉભી કરાઈ

  • April 08, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રવાસન વિભાગની કામગીરી, પ્રગતિ, ભાવી લયાંક અને સર્વિસ સેકટરમાં તેનું યોગદાન વધે તે માટે આ વિભાગને સ્વતત્રં દરો પ્રદાન કરવા અને સ્ટાફની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય છેલ્લે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે મળેલી સરકારની ચિંતન શિબિરમાં લેવાયો હતો.
આ નિર્ણયનો અમલ શ થયો છે અને સરકારે પ્રવાસન વિભાગ માટે ૧૭ નવી જગ્યા ઊભી કરી છે.
સરકારે જે નવી ૧૭ જગ્યા ઊભી કરી છે તેમાં નાયબ સચિવ અને ઉપસચિવ વર્ગ એકના બે અધિકારીઓ, ખાસ ફરજ પરના ત્રણ અધિકારીઓ, વર્ગ–૨ ના ત્રણ સેકશન ઓફિસરો, વર્ગ ત્રણના છ નાયબ સેકશન ઓફિસરો અને ત્રણ ઓફિસ આસિસ્ટન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૧૭ માંથી માત્ર ૩ ખાસ ફરજ પરના અધિકારીઓ ફિલ્ડમાં ફરજ બજાવશે. યારે બાકીના તમામને સચિવાલયમાં ફરજ બજાવવાની રહેશે. ખાસ ફરજ પરના ત્રણ અધિકારીઓની જગ્યા માર્ગ અને મકાન વિભાગના તાંત્રિક સંવર્ગના નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ–૨ ની પ્રતિનિયુકિતથી ભરવામાં આવશે.
નવું મહેકમ જાહેર કરવાની સાથો સાથ સરકારે ભરતી અંગેની સામાન્ય શરતો, પગાર અને નવી વર્ધિત પેન્શન યોજના, જગ્યાઓની મુદત અને સેવાઓ, નાણાકીય ઔચિત્ય સહિતની બાબતોની સ્પષ્ટ્રતા કરી છે. સરકારની આ જાહેરાતને નાણા વિભાગ તથા ઉધોગ અને ખાણ ખનીજ વિભાગની મંજૂરી મળી ગઈ છે.
નવી મંજૂર કરેલી જગ્યાઓ જે તે નાણાકીય વર્ષના અતં સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે અને ત્યારબાદ વખતો વખત જગ્યા ચાલુ રાખવાની થાય તો વિભાગે મુદત લંબાવવાની દરખાસ્ત મુદત પૂરી થાય તેના એક મહિના અગાઉ મેળવી લેવાની રહેશે. સીધી ભરતી અને બઢતીના ફાળાની નવી ઉભી થયેલી જગ્યાઓની સેવાઓ કરાર આધારિત કે આઉટસોર્સથી લેવાની જરિયાત ઊભી થાય તો તેવા સંજોગોમાં નાણાં વિભાગની પૂર્વ મંજૂરી અચૂક પણે મેળવવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application