રાજકોટ TRP અગ્નિકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આગ્નિકાંડ મામલે ત્રણ આરોપીના 14 દિવસના રીમાન્ડ મંજૂર કોર્ટે કરી દિધા છે.
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાઈ પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપીઓને સેશન્સ કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે આરોપી રાહુલ રાઠોડ, યુવરાજસિંહ સોલંકી અને નીતિન જૈનને કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કોર્ટમાં સરકારી વકીલ જણાવ્યું હતું કે, મોતનો આંકડો હજુ વધી શકે છે. ગેમઝોનમાં કેટલા કર્મીઓ હતા તેની પણ આરોપીઓએ માહિતી આપી નથી. આરોપીઓ તપાસમાં યોગ્ય સહયોગ આપતા નથી.
રાજકોટ TRP ગેમઝોનમાં આગ દુર્ઘટનામાં 28 જિંદગીઓ હોમાઈ છે ત્યારે રાજકોટ બાર એસોસિયેશને મોટા નિર્ણય લીધો છે. આરોપી તરફથી કેસ ન લડવા રાજકોટ બાર એસોસિયેશનને ઠરાવ પસાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે એકપણ વકીલ આગ ધુર્ઘટનાના આરોપીઓ તરફથી કેસ નહીં લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ આરોપીઓ હવે આખા દેશ સામે ખુલા પડ્યા છે. 3 આરોપી છે જે હવે પોલીસના સકંજામમાં છે જેંઆ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
રાજકોટ અગ્નિકાંડને લઈને શહેર પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નરની પણ બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય અધિકારીઓને પણ તેના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
શુ હતી ઘટના ?
રાજકોટ શહેરના નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં 27થી વધુ લોકોના લોકો જીવતા બળીને ખાક થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMPAN કાર્ડ બનશે સંકટનો સાથી! જાણો કેવી રીતે મળશે 5 લાખ સુધીની લોન
May 05, 2025 06:55 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech