૧૩ વર્ષની પરપ્રાંતીય બાળકીનું શ્વાસ રૂંધાઈ ગયા પછી મૃત્યુ

  • June 22, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર તાલુકાના ધરમપુર ગામનો બનાવ


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં રહીને ખેત મજૂરી કરતા પરપ્રાંતિય પરિવારની ૧૩ વર્ષની બાળકીને પોતાના ઘરે નિંદ્રાધીન અવસ્થામાં શ્વાસ રૂંધાઇ જવાતાં અપમૃત્યુ થયું છે.


આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની અને હાલ લાલપુર તાલુકાના ધરમપુર ગામ ના ખેડૂત રવિભાઈ વાછાણીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગોકુલસિંહ રાવત નામના ૩૭ વર્ષના મારવાડી શ્રમિક ની ૧૩ વર્ષની પુત્રી સરિતાબેન કે જે પોતાના ઘેર સૂતી હતી, જે દરમિયાન તેણીને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાથી તેનો શ્વાસ રૂંધાયો હતો, અને સારવાર માટે  લાલપુર ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતક ના પિતા ગોકુલસિંહ નવલસિંહ રાવતે પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે ઘટના સ્થળે તેમજ લાલપુરની સરકારી હોસ્પિટલમાં  દોડી જઇ મૃતદેહના કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application