કર્ણાટકમાં બસ દુર્ઘટનામાં બે બાળકો સહિત 13નાં મૃત્યુ

  • June 28, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કણર્ટિકના હાવેરી જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે એક ભયાનક બસ અકસ્માત થયો હતો અને તેમાં બે બાળકો સહિત 13 લોકોના મોત થયા હતા. ઘાયલોને તાબડતોબ સર્વર માટે લઈ જવામાં આવ્યા હતા.પૂણે-બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક મીની બસ પાછળથી એક બંધ ટ્રક સાથે અથડાઈ હતી. શુક્રવારે સવારે 4 વાગ્યાના સુમારે આ ઘટના બની ત્યારે મોટા ભાગના પ્રવાસી ઊંઘમાં હતા. બસની ટક્કર એટલી જોરદાર હતી કે આગળનો આખો ભાગ ચીરાઇ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને બચાવકર્મીઓ દોડી ગયા હતા અને ઘાયલોને સારવાર માટે લઈ જવાયા હતા. અમુકના મૃતદેહ એટલી ભયંકર રીતે ફસાઈ ગયા હતા કે તેને બહાર  લાવવામાં ફાયરના જવાનો અને પોલીસ કર્મીઓને પણ પરસેવો છૂટી ગયો હતો.
હાવેરી જિલ્લાના બ્યાદાગી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ પાસે શુક્રવારે સવારે લગભગ 4 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક શિવમોગ્ગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના ઉમ્મીહટ્ટી ગામના વતની હતા. તે બેલાગવી જિલ્લામાં મંદિરોની મુલાકાત લઈને પરત ફરી રહ્યો હતો.અથડામણને કારણે મીની બસના ક્ષતિગ્રસ્ત અવશેષોમાં મૃતદેહો ફસાઈ ગયા હતા અને ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓને મૃતદેહોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. આ અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application