પ્રભાસ પાટણ સોમનાથમા આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે ગાયનેક ડો. નયન કછોટની ખુબજ સરસ કામગીરી છેે. જેથી ગરીબ મધ્યમ વર્ગના બહેનોને સારી સારવાર મળે.અત્યારે મોટા ભાગની ડીલેવરી સીઝરીયનથી કરવામાં આવે છે પરંતુ ડો. કછોટ શક્ય હોય ત્યાં સુધી નોર્મલ ડિલિવરી કરવાનો આગ્રહ રાખે છે અને તેવોએ એકજ દિવસમા ૧૨ ડીલીવરી નોર્મલ કરાવેલ છે અને તેમાંથી દસ પુત્ર અને બે તંદુરસ્ત પુત્રીનો જન્મ થયેલ છે.એક વર્ષથી ડો. નયન કછોટએ પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ છે ત્યારથી ખુબજ સારી કામગીરી કરી રહેલ છે અને તેવો મહિનામાં ૮૦થી વધુ ડીલેવરી કરાવે અને અત્યાર સુધીમાં તેવોએ ૮૦૦થી વધુ ડીલેવરી કરાવેલ છે. જેમાં મોટાભાગની નોર્મલ ડિલિવરી કરવેલ છે તેવોએ ત્રણ મહિનામા ૧૦૦થી વધુ સીઝરીયન ઓપરેશન કરેલ છે અને સ્ત્રીઓને લગતા અન્ય ઓપરેશન કરેલ છે જેથી ગરીબ મધ્યમ વર્ગના બહેનોને આર્થિક રીતે ખુબજ ફાયદો થયેલ છે.
અત્યારે સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલીસીસના ત્રણ મશીનો આવેલ છે. જેથી ડાયાલીસીસના દર્દીઓને સારી સારવાર મળી રહે છે તેમજ દાંત વિભાગ, ડીજીટલ એક્ષરે મશીન, લેબોરેટરી, કસરત વિભાગ સહિતની સુવિધા ઉપલબ્ધ છે તેમજ મેડિકલ ઓફિસર દ્વારા રોજના ૨૫૦ જેટલા દર્દીઓને તપાસ કરી સારવાર કરવામાં આવે છે પ્રભાસ પાટણ સોમનાથમા સરકારી હોસ્પિટલ આવેલ છે. જેથી સોમનાથ આવતા યાત્રિકો પણ આ હોસ્પિટલનો લાભ લે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech