દ્રારકા ખાતે કાલથી 11 દિવસીય ૧૦૮ કુંડી મહા વિષ્ણુયાગ યજ્ઞ

  • March 25, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીર શહીદોની સ્મૃતિમાં આયોજન હાથ ધરાયુ


દ્વારકાના મોરબી હાઉસ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.૨૭ થી ૬/૪ દરમિયાન વીર શહીદોની સ્મૃતિમાં ૧૧ દિવસીય ૧૦૮ કુંડ મહા વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.


તે માટેની તડામાર તૈયારીઓ હાલમાં જોરશોરથી ચાલી રહી છે.આ અંગે સંત બાલક યાગેશ્વ દાસજી મહારાજએ જણાવેલ કે આ યજ્ઞ છેલ્લા ૨૨ વર્ષથી અલગ-અલગ જગ્યાએ વીર શહીદોની સ્મૃતિમાં યોજાય છે.


તા.૨૭મીથી શરૂ થનાર વિષ્ણુયાગ મહાયજ્ઞ એ ૪૪મો મહાયજ્ઞ છે. દ્વારકાના સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક પણ આ મહાયજ્ઞમાં સંપુર્ણ સહયોગ આપીરહ્યા છે.


આ યજ્ઞમાં દર્શનાર્થે આવતા ભક્તોને પ્રતિદિન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામા આવી છે.આ વિષ્ણુયાગ યજ્ઞના દર્શન તથા મહાપ્રસાદીનો વધુમાં વધુ ભકતોને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application