બજેટ દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને પણ મહાનગરપાલિકા તરીકે જાહેર કરાઇ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જાહેરાત તા જ મુળચંદ, રાજપર, ખેરાળી, બાકરળી, માળોદ, ખમીસણા, વાઘેલા, કોઠારીયા સહિત ૧૦ ગામોને નવા સીમાંકન મુજબ મહાનગર પાલિકામાં ભેળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આ નિર્ણય બાદ ગ્રામ્ય વિસ્તારના લોકોએ મહાનગરપાલિકામાં ભળવાને લઈને ઉગ્ર વિરોધ કરતા આ તમામ ગામડાઓ ને મહાનગરપાલિકા માંી બાકાત કરે એવી શક્યતા છે.આ માટે રાજયના શહેરી વિકાસ વિભાગ દવારા ફેર વિચારણાના અંતે આ અંગે ટુકસમયમા નિર્ણય લેવામા આવશે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આજુબાજુના ૧૦ ગામડાઓને ભેળવવાને મુદે શહેરી વિકાસ વિભાગ દવારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામા આવયુ હતુ પરંતુ આ ગામોમાં મુળચંદ, રાજપર, ખેરાળી, બાકરળી, માળોદ,ખમીસણા, વાઘેલા, કોઠારીયા, નાના કેરાળા અને શેખપરના લોકોએ વિરોધ નોધાવયો હતો.બીજી તરફ આ તમામ ગામડાઓ નું અંતર ૨ કીમી ી ૯ કીમી સુધીના ાય છે અને શહેરી ૯ કીલોમીટર દુર સુવિધાઓ પહોંચતી કરવી પણ સમસ્યા હતી. આ કારણોસર બે કે ત્રણ દિવસમાં તમામ ગામડાઓને મહાનગરપાલિકા માંી બાકાત કરવામા આવે તેવી શક્યતા છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યની આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકા નો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમા નવસારી, મહેસાણા, ગાંધીધામ, સુરેન્દ્રનગર વઢવાણ, મોરબી, વાપી અને આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. આ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તેમાં અનેક વિસ્તારો અને ગામોને આવરી લેવામાં આવશે. રોડ,રસ્તા, પાણી, હોસ્પિટલો અને શાળાઓનો પણ વિકાસ શે. ધંધા રોજગારના નવા માધ્યમો ઉભા કરાશે. જમીન મકાનોના ભાવ વધશે. અને લોકોને વધુ સુવિધા મળશે. જો કોઈપણ રાજ્યની પ્રગતિ કરાવવી હોય તો તે રાજ્યમાં વહીવટનું માળખું સરળ અને શક્ય તેટલું મોટું હોવું જોઈએ પરંતુ આશરે ૭ કરોડની વસતી અને સમૃદ્ધ રાજ્ય તરીકે ગણાતું હોવા છતાં પણ
ગુજરાતની એ કમનસીબી છે કે રાજ્યમાં મહાપાલિકાઓની સંખ્યા વધારે ની. ગુજરાતની સપનાને છ દાયકા કરતાં પણ વધુ સમય ઈ ગયો હોવા છતાં પણ ગુજરાતમાં માત્ર ૮ જ મહાનગરપાલિકા અસ્તિત્વ ધરાવતી હતી. તેમાં પણ વર્ષો સુધી ૬ જ મહાનગરપાલિકા જ હતી. બાદમાં જુનાગઢ મહાનગરપાલિકા બનાવવામાં આવી અને છેલ્લ ે તો હાઈકોર્ટના આદેશને પગલે ગાંધીનગર મહાનગર પાલિકાની રચના કરવામાં આવી. રાજ્ય સરકારે રજૂ કરેલા ગત બજેટમાં રાજ્યમાં વધુ ૭ મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech