પોરબંદરમાં ૧૦ અને ૨૦ પિયાના સિક્કા સ્વીકારવામાં આવતા નહી હોવાથી જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યુ હતુ જિલ્લા કલેકટરે ધંધાર્થીઓ અને ગ્રાહકોને પણ સિક્કા સ્વીકારવા અપીલ કરી હતી.
ઘી યુવા પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભારત સરકાર અને આર.બી.આઈ દ્વારા ચલણમાં લાવવામાં આવેલ . ૧૦ અને . ૨૦ ના સિક્કાનું કાયદેસરનું ચલણ છે તેની લોક-જાગૃતી માટે કલેકટરને લેખિત આવેદન પાઠવવામાં આવેલ છે.પોરબંદરની સ્થાનિક બજારમાં તેમજ જાહેર જનતા પાસેથી યુવા ચેમ્બરના સભ્યો ને મળેલ માહિતી મુજબ . ૧૦ અને . ૨૦ ના સિક્કા સ્વીકારવામાં આવતા નથી તેવી માહિતી મળેલ છે અને ત્યારબાદ અનેક વેપારીઓ સાથે વાત કરતા એવી માહિતી મળેલ કે જાહેર જનતા દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવતો નથી એટલે તે સ્વીકારતા ન હોય અને જાહેર જનતા દ્વારા એવુ જાણવા મળેલ હોય કે તેમની પાસેથી દુકાનદારો સિક્કા સ્વીકારતા નથી એટલે તે તેમની પાસે લેવામાં જીજક અનુભવતા હોય છે.હાલ આ રકમની નવી નોટો બજારમાં આવતી ન હોય અને જે ઉપલબ્ધ છે તેમાં ઘણી ખરી નોટો ફાટેલી-ટુટેલી હાલતમાં જોવા મળતી હોય અને આથી તે બધા માટે એક ખુબ મોટો પ્રશ્ર્ન બનેલ છે.કારણ તેની સ્વીકૃતીમાં બધાને સ્વેછાએ મંજુર રહેતી ન હતી. આવી મોટી સંખ્યામાં નોટો લોકો પાસે તેમના ખાનામાં પડી રહેલ હોય અને તેથી એક ખુબ મોટી રકમનું રોટેશન બજારમાંથી અલિપ્ત થતા તેનો મોટો આર્થીક વ્યાપ બજારમાં લાંબા ગાળે થતો હોય તેને મહત્વકાંક્ષા જાણતા પ્રસાશને આ આવેદન આપવાની જરૂર જણાતા યુવા ચેમ્બર આ પહેલ કરેલ છે.આ આવેદન પાઠવવા યુવા ચેમ્બરના પ્રમુખ આકાશભાઈ લાખાણી, શ્યામભાઈ રાયચુરા,મોહીલભાઈ ગોંદીયા, પ્રમોદભાઈ માવાણી, ઝીલભાઈ બદીયાણી તથા અન્ય સભ્યો સાથે જોડાયા હતા અને આ અંગે વિસ્તૃત ચર્ચા કરેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech