શાહરુખ ખાનના બંગલામાં ઘૂસેલા બે યુવકનું ગુજરાત કનેક્શન નીકળ્યું

  • March 09, 2023 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • પોલીસ પુછપરછમાં બંને યુવકોએ પઠાનના ફેન્સ હોવાનો કર્યો ખુલાસો
  • ગુજરાતના આ શહેરના યુવા રાત્રે 3 વાગે દિવાલ કૂદીને  મન્નતમાં ઘૂસ્યા હતા



બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની લોકપ્રિયતા આજકાલ ટોચ પર છે. તેમાંય પઠાન ફિલ્મ બાદ તો ફેન્સમાં તેની ચાહની ખુબ વધી ગઇ છે. ચહીતા કલાકારની એક ઝલક જોવા તેના મન્નત બંગલાની બહાર હજારોની સંખ્યામાં ફેન્સની ભીડ જામે છે. તેમાં જ તાજેતરમાં બે યુવક સુરક્ષા ભેદીને શાહરુખના બંગલામાં ઘૂસી ગયા હતા. એટલું જ નહીં બંને 8 કલાક સુધી મન્નતમાં છુપાયેલા રહ્યા હતા. આ બંને યુવકનું ગુજરાત કનેક્શન નીકળ્યું છે.

 ગત અઠવાડિયે  મુંબઈ પોલીસે શાહરૂખ ખાનના બંગલા મન્નતમાં ઘૂસવાના આરોપમાં બે યુવકની ધરપકડ કરી હતી. આ બંને આરોપી પકડાય તે પહેલા લગભગ આઠ કલાક સુધી તે શાહરૂખ ખાનના મેક-અપ રૂમમાં સંતાયા હતા. આ બંને યુવકો દીવાલ કુદીને મન્નતમાં પ્રવેશ્યા હતા. પોલીસે હાલ બંને આરોપીની પૂછપરછ કરી છે.

પોલીસે જે બે યુવકોની ધરપકડ કરી તે યુવકો ગુજરાતના ભરૂચના રહેવાસી છે અને તેમનુ નામ સાહિલ સલીમ ખાન અને રામ સરાફ કુશવાહ છે. સાહિલ અને રામ બંને શાહરુખ ખાનના ફેન્સ છે અને મન્નતની દિવાલ કુદીને તે શાહરુખ ખાનને મળવા માંગતા હતા અને આ માટે બંને આઠ કલાક સુધી મન્નતમાં આવેલા શાહરુખ ખાનના મેકએપ રૂમમાં સંતાઈ ગયા હતા. જો કે, બંને યુવકોને સિક્યુરિટી ગાર્ડે ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ પોલીસ હવાલે કર્યા હતા.

પોલીસે જણાવ્યુ હતુ કે, શાહરુખ ખાનના ઘરમાં ચાલી રહેલા સમારકામ માટે મુકવામાં આવેલી પાલખનો ઉપયોગ કરીને આ બે યુવકો રાત્રે 3 વાગ્યે મન્નતમાં ઘુસ્યા હતા અને શાહરુખના મેકઅપ રૂમમાં સંતાઈ ગયા હતા. જ્યારે સવારે શાહરુખ ખાન મેકઅપ રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે આ બે યુવકોને જોઈ લીધા હતા અને પોતાના હાઉસ કીપિંગ સ્ટાફને બોલાવ્યો હતો. હાઉસ કીપિંગ સ્ટાફના લોકો આ બંને યુવાનોને મન્નતની બહાર લઈ ગયા હતા અને ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડે બંને યુવકોને પોલીસને હવાલે કરી દીધી હતા. બાંદ્વા પોલીસે તેમની ધરપકડ કરી હતી.

બંને યુવકોએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ શાહરુખ ખાનને જોવા માંગતા હતા અને તે માટે તેઓ ગુજરાતથી મુંબઈ આવ્યા હતા. રાત્રે 3 વાગ્યાની આસપાસ તેઓ શાહરુખ ખાનના બંગલા મન્નતમાં ઘૂસી ગયા હતા. પોલીસે કહ્યું કે, બંને યુવકો માત્ર શાહરુખ ખાનને મળવા આવ્યા હતા, તેમનો કોઈ બદઈરાદો ન હતો. શાહરુખ ખાનના બંગ્લાની દિવાલ કુદતી વખતે બંનેના નાક પર ઈજાઓ થઈ હતી. શાહરુખ ખાનના સ્ટાફે તેમને તેમની સારવાર કરી હતી અને ત્યારબાદ પોલીસને સોંપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application