લાલપુરના લોઠીયા પાટીયા પાસે છોટાહાથીની હડફેટે યુવાનનું મોત

  • March 03, 2023 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર તાલુકાના લોઠીયા ગામના પાટીયાથી મામાદેવના મંદિર બાજુના રોડ પર ત્રણ દિવસ પહેલા માનતાએ ચાલીને જતા એક યુવાનને બોલેરો પિકઅપના વાહનચાલકે હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોચાડી મોત નિપજાવીને નાશી છુટયો હતો.
જાણવા મળતી વિગત મુજબ જામનગરના ગોકુલનગર રડાર રોડ, શેરી નં. ૮/૪ ખાતે રહેતા કૈલાશ નરશીભાઇ વાઘેલા (ઉ.વ.૩૨) નામના યુવાને ગઇકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં બોલેરો પિકઅપ અથવા છોટાહાથીના અજાણ્યા ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.


ફરીયાદીના મોટાબાપુના દિકરા વિરમભાઇ ચનાભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) નામનો યુવાન તેની બહેન તથા તેના દિકરા સાથે ગત તા. ૨૮ના રોજ માનતાએ ચાલીને જતા હતા, ત્યારે લાલપુર રોડ, લોઠીયા પાટીયાથી થોડે દુર મામાદેવના મંદિરની બાજુના રોડ પર પહોંચતા બોલેરો પિકઅપ જેવા અજાણ્યા વાહનના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી વિરમભાઇને પાછળથી હડફેટે લઇ અકસ્માત સર્જી ગંભીર ઇજા પહોંચાડી હતી આથી વિરમભાઇનું મૃત્યુ નિપજયુ હતું અને ચાલક વાહન લઇને નાશી છુટયો હતો.
​​​​​​​
ગઇકાલે પોલીસ ફરીયાદ દાખલ થતા લાલપુર સ્ટાફ દ્વારા સ્થળની મુલાકાત લઇ અજાણ્યા વાહનચાલક સામે નોંધાયેલા ગુના મુજબ તપાસ લંબાવવામાં આવી છે, યુવાનના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application