લાલપુર તાલુકાના લોઠીયા ગામના પાટીયાથી મામાદેવના મંદિર બાજુના રોડ પર ત્રણ દિવસ પહેલા માનતાએ ચાલીને જતા એક યુવાનને બોલેરો પિકઅપના વાહનચાલકે હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોચાડી મોત નિપજાવીને નાશી છુટયો હતો.
જાણવા મળતી વિગત મુજબ જામનગરના ગોકુલનગર રડાર રોડ, શેરી નં. ૮/૪ ખાતે રહેતા કૈલાશ નરશીભાઇ વાઘેલા (ઉ.વ.૩૨) નામના યુવાને ગઇકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં બોલેરો પિકઅપ અથવા છોટાહાથીના અજાણ્યા ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના મોટાબાપુના દિકરા વિરમભાઇ ચનાભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) નામનો યુવાન તેની બહેન તથા તેના દિકરા સાથે ગત તા. ૨૮ના રોજ માનતાએ ચાલીને જતા હતા, ત્યારે લાલપુર રોડ, લોઠીયા પાટીયાથી થોડે દુર મામાદેવના મંદિરની બાજુના રોડ પર પહોંચતા બોલેરો પિકઅપ જેવા અજાણ્યા વાહનના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી વિરમભાઇને પાછળથી હડફેટે લઇ અકસ્માત સર્જી ગંભીર ઇજા પહોંચાડી હતી આથી વિરમભાઇનું મૃત્યુ નિપજયુ હતું અને ચાલક વાહન લઇને નાશી છુટયો હતો.
ગઇકાલે પોલીસ ફરીયાદ દાખલ થતા લાલપુર સ્ટાફ દ્વારા સ્થળની મુલાકાત લઇ અજાણ્યા વાહનચાલક સામે નોંધાયેલા ગુના મુજબ તપાસ લંબાવવામાં આવી છે, યુવાનના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુશ વિના તર્પણ કરવાથી થઇ શકે છે અપશુકન, જાણો આ પાછળની માન્યતા
September 20, 2024 03:02 PMશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PM'સ્ત્રી 2'ના 'આઈ નહીં'ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ,કોર્ટમાં રજુ કરાશે
September 20, 2024 02:44 PMઆઈ–ખેડૂત પોર્ટલ પરનો ઘસારો ખાળવા તબક્કાવાર ખુલ્લું મુકાશે
September 20, 2024 02:43 PMસૂર્યાએ રજનીકાંતથી ડરીને 'કંગુવા'ની રિલીઝ ડેટ બદલી
September 20, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech