નવાગામ ઘેડમાં નજીવી બાબતે યુવાનને માર માર્યો

  • April 01, 2023 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના નવાગામ ઘેડમાં નજીવી બાબત શ્રમીક યુવાનને ઢીકાપાટુનોમાર મારી છરી વડે હુમલો કરી ધમકી દીધાની આ વિસ્તારમાં રહેતા બે શખ્સ સામે ફરીયાદ દાખલ થઇ છે.


જામનગરના નવાગામ ઘેડમાં રહેતા જયેશ સુરેશભાઇ મકવાણા (ઉ.વ.૨૦) નામના યુવાને ગઇકાલે સીટી-બીમાં નવાગામ ઘેડમાં રહેતા ગૌરવ હરસુખ વાઘેલા તથા નવનીત હરસુખ વાઘેલા આ બંનેની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ દાખલ કરી હતી.


જયેશભાઇ ગઇકાલે નવાગામ ઘેડ મીલવાળી શેરીના ચોકમાં બેઠા હતા ત્યારે આરોપીઓએ ત્યાં આવીને તે દિવસે તું મારી સાથે શું બોલાચાલી કરતો હતો, તેમ કહેતા ફરીયાદીએ કેટરર્સના કામ રાખતા નવીન પરમારને મને કામ પર રાખવા બાબતે ના પાડી હતી તેવી વાત કરતા આરોપીએ હું જયાં કામ પર જાઉ ત્યાં તારે આવવું નહીં તેમ કહેતા ફરીયાદીએ તારે શું વાંધો તેવો જવાબ દેતા માથાકુટ થઇ હતી.


આરોપીઓએ ઉશ્કેરાઇને ફરીયાદીને અપશબ્દો કહી ઢીકાપાટુનો માર માર્યો હતો અને એક આરોપીએ છરી વડે હુમલો કરી જયેશને વાંસાના ભાગે ઘા ઝીંકી ગંભીર ઇજા પહોચાડી હતી અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદના આધારે પીએસઆઇ પટેલ આગળની તપાસ ચલાવી રહયા છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application